SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ દીપિકા ®@989s9,9949WS@GS/88888888 ધ્યાન ભાવાર્થ : તીર્થ એટલે સરલ માર્ગ-સત્યમાર્ગ. તેને બતાવનાર તે તીર્થિક કહેવાય છે. તેથી વિપરીત-અસત્યમાર્ગ બતાવનાર પામર જીવોને લાયક વિષયકષાયમાં ખૂંચી રહેલાઓ, રાગદ્વેષને વિવશ થયેલાઓ, પાંચ ઇંદ્રિયોના વિષયોને પરવશ થયેલાઓ, વિવિધ પ્રકારના માનાપમાનથી ઘેરાયેલાઓ અને આ લોક તથા પરલોકની આશાઓથી જકડાયેલાઓ, તે સર્વ તીર્થિક કહેવાય છે. જે આત્મધર્મનું મૂલ કારણ નથી અને મોક્ષના સાધનભૂત પણ નથી તેવા મારણ, ઉચ્ચાટન, મોહન, વશીકરણ, ઈત્યાદિને માટે ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ કે ધ્યાન કરવાનું જેણે ઉપદેશેલું છે તે મિથ્યા મલિન ધ્યાન છે; તેવા કુતિર્થકોએ બતાવેલા અસત્ ધ્યાનનો અવશ્ય ત્યાગ કરવો તે જ બતાવે છે. DER ER 88888888 0888888888888888&88888888888888888&88888 088888888 8888888 , कश्चिन्मूढात्मभिर्ध्यानमन्यैः स्वपरवंचकैः । सपापं तत्प्रणीतं च दुःखदुर्गतिदायकम् ॥६२॥ धनार्थं स्त्रयादिवश्यार्थं जन्तुघातादिकारकम् । शत्रुच्चाटादिकृद्ध्यानं क्रियते दुष्टबुद्धिभिः ॥ ६३ ॥ પોતાને અને પરને ઠગવાવાળા કોઈક અન્ય મૂઢ જીવોએ દુઃખ અને દુર્ગીતને આપવાવાળું પાપવાળું ધ્યાન કથન કરેલું છે. દુષ્ટ બુદ્ધિવાળા જીવો, ધનને અર્થે, સ્ત્રીઆદિ વશ કરવા અર્થે, શત્રુને ઉચ્ચાટન આદિ કરવા માટે અને જંતુઓના ઘાત આદિ કરવા માટે ધ્યાન કરે છે. ભાવાર્થ : આ કુતીર્થિકો એટલે ખોટે રસ્તે જનારા અને અન્યને લઈ જનારા, પોતાને અને પરને ઠગનારા મૂઢ અજ્ઞાની જીવોને, આર્નરૌદ્રાદિ ધ્યાન કરનારા સમજવા, જે Jain Education International 888888888888888888898983P ૧૨૮ Psa8a8388888888888888888&88&@888 For Private & Personal Use Only 3888888888 www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy