SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 988e88888888888888388 રિજી ધ્યાન દીપિકા નિગ્રંથ-ત્યાગી મનુષ્યો નિશ્ચે ધ્યાન કરનાર હોય છે પ્રાયઃ ગૃહસ્થ ધ્યાન કરી શકતો નથી કેમ કે તે પરિગ્રહાદિમાં ડૂબેલો છે - તેનું ચિત્ત ચપળ છે. ૫૬ 88888888888888&8&888888888888888888888888888888888888888a8a888a8a8a888/88&<& ભાવાર્થ : બહારથી તેમ અંતરમાંથી ત્યાગ કરનાર, કામક્રોધાદિને હઠાવનાર ત્યાગી, નિગ્રંથ-રાગદ્વેષની ગ્રંથિને તોડનાર-ઢીલી કરનાર, એવા મુનિઓ જ ધ્યાન કરવાના અધિકારી છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા મનુષ્ય પ્રાયઃ ધ્યાનના અધિકારી નથી. ધ્યાન શબ્દથી અહીં ઉત્તમ ધર્મધ્યાનાદિ ધ્યાન સમજવું. આર્ત્તધ્યાનાદિ તો ગૃહસ્થને પણ હોય છે. પ્રાયઃ શબ્દ અહીં મૂકેલો હોવાથી, પૂર્વ જન્મનો સંસ્કારી અને ગૃહસ્થાશ્રમમાં પણ વિરક્તતા ધારણ કરનાર કોઈ યોગ્ય જીવ હોય અને તે કોઈ વિશેષ કારણથી ત્યાગ કરી ન શકતો હોય છતાં તેનું હૃદય ધ્યાનાદિ માટે અધિકારી થયું હોય અને તેવી અનુકૂળતાવાળી ઘ૨માં સગવડ હોય તો તે કરી શકે પણ ખરો. આ માટે અહીં પ્રાયઃ શબ્દ મૂકેલો છે. 88&£ મુખ્યત્વે, ગૃહસ્થ શા માટે ધ્યાનનો અધિકારી નથી, તેનો હેતુ બતાવે છે. તે પરિગ્રહાદિમાં મગ્ન-આસક્ત હોય છે, માટે અધિકારી નથી. ધનધાન્ય, જમીન, રાજ્યવૈભવાદિ, સ્ત્રી, પુત્ર, પુત્રી આદિ સંબંધીઓ વગેરેના પાલણપોષણાદિમાં તેનું ચિત્ત વ્યગ્ર હોય છે. વ્યવહારના પ્રસંગોમાં, મન પર થતા આઘાતો અને તેના હૃદય પર પડતા સંસ્કારો એવા વિક્ષેપ ઉપજાવનારા હોય છે કે તે કાર્યનો નિશ્ચય કે સમાપ્તિ ન થાય ત્યાં સુધી મન વિચાર કરતું અટકતું નથી. આવું વિક્ષેપવાળું મન ધ્યાનમાં જરા પણ ઉપયોગી થતું નથી. મનને એક જ ધ્યેયમાં પ્રવાહિત કરવું, અગર સ્થિર કરી દેવું, આ ધ્યાનની સ્થિતિ છે. તે મન નાના પ્રકારની આશા કે ૧૨૪ GaGr889889*989889sBK8a38@Bass Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy