SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Clot ElfsPERCHEREBBBBBBBBURGOSURUBURUBBBBR છે ઇચ્છાઓથી દુર્ગધિત થયેલું-ખરડાયેલું કે ભ્રમણ કરતું હોય ત્યાં સુધી ધ્યાનમાં ઉપયોગી કેમ થઈ શકે? મન સ્વચ્છ અને સ્થિર હોય ત્યારે જ તે ધ્યાનમાં ઉપયોગી છે. પરમ વૈરાગ્ય વિના મન સ્વચ્છ-નિર્મળ કે સ્થિર થતું નથી. ગૃહસ્થાશ્રમમાં પ્રાયઃ શબ્દ મૂકાયેલો છે. કદાચ કોઈ વિરલ જીવ ગૃહસ્થાશ્રમમાં પણ પરમ વૈરાગ્યવાન હોઈ શકે. તથાપિ તે રાજમાર્ગ નથી, એટલે એમ બતાવ્યું છે કે ધ્યાનના મુખ્ય અધિકારી ગૃહસ્થો નથી. તે જ વાત વિસ્તારથી હું કહે છે. BERURUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURGREPUBGBUBURBEURS खरस्यापि हि किं शू खपुष्पमथवा भवेत् । तथांगनादिसक्तानां नराणां क्व स्थिरं मनः ॥५७।। ગધેડાને પણ શું શિંગડું હોય? અથવા આકાશને પુષ્પ થાય ખરા કે ? (તે બનવું અસંભવિત છે) તેમ સ્ત્રી આદિમાં આસક્ત થયેલા મનુષ્યોનું મન ક્યાંથી સ્થિર હોય ? પાખંડીઓને ધ્યાન હોય ખરું કે ? तथा पाखंडीमुख्यानां नास्तिकानां कुचक्षुषाम् । तेषां ध्यानं न शुद्धं यद्धस्तुतत्त्वाज्ञता यतः ॥५८।। તેમ જ પાખંડીઓમાં મુખ્ય નાસ્તિકો-કુદષ્ટિવાળાઓને શુદ્ધ ધ્યાન ન હોય કારણ કે તેઓને વસ્તુતત્ત્વનું અજ્ઞાન છે. ભાવાર્થ : પાખંડી શબ્દ સામાન્ય પ્રકારે ત્યાગમાર્ગના વેશ ધારણ કરવાવાળાને કહે છે. અહીં તે સામાન્ય અર્થ ન લેતાં પાખંડી આદિક જેઓ નાસ્તિકોમાં મુખ્ય છે, ધમધર્મની સે વ્યવસ્થાને માનનાર નથી. અથવા નિશ્ચય, વ્યવહાર વ્યવસ્થા કર્યા સિવાય અપેક્ષા રાખ્યા સિવાય-આત્માને એકાંત નિયમુક્ત માનનાર છે કે અનિત્ય અને બદ્ધ માનનાર છે, GBUBUBUBURUBURBSKRUBBURUZKRUBBERBURGRUBRZEBURURURGRBRRRRRRRRRRRSBOBOBOBCAT 8888888888888888888888888888888888888888888888888888૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy