SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 888888 9898939KGR\RTY8998માનદીપિકા લાખો જીવયોનિમાં ભ્રમણ કરતાં, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે; તેમાં પણ ધર્મની સામગ્રી અને બોધિરત્ન (સમ્યજ્ઞાન)ની પ્રાપ્તિ તો વધારે દુર્લભ છે. 88 88 ભાવાર્થ : માનવો ! ચોક્કસ સમજજો. વારંવાર આ માનવ જિંદગી મળવી દુર્લભ છે. અનેક જિંદગીઓના પરિભ્રમણ પછી ઘણે કાળે, અને કોઈ જ વાર સર્વ સાધનસંપન્ન આ જિંદગી મળી છે. તેમાં પણ ધર્મઆત્મસ્વભાવ-પ્રગટ કરવામાં મદદગાર આર્યદેશ, ઉત્તમ કુળ, નીરોગી શ૨ી૨, તીક્ષ્ણબુદ્ધિ, લાંબુ આયુષ્ય, સત્સમાગમ અને સ્વરૂપ પ્રગટ કરવાની ઇચ્છા એ ઉત્તરોત્તર દુર્લભ છે. આ સ્થિતિ પામ્યા પછી તત્ત્વ સ્વરૂપ જાણવું પામવું, એ વધારે દુર્લભ ન ગણાય, છતાં તેવી સ્થિતિ પામ્યા છતાં પણ સમ્યક્દષ્ટિ અને તત્ત્વજ્ઞાન જેવી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થવી તે ઘણી જ દુર્લભ છે એવી સ્થિતિમાંથી પતિત પણ થઈ જવાય છે. એ અનુકૂળ સંયોગો ઘણીવાર નિષ્ફળ નીવડે છે એમ જ્ઞાની પુરુષોએ ઘણીવાર જોયેલું છે માટે આપણને તેઓ વારંવાર ચેતાવે છે. મહાનુભાવો ! જાગો ! ઊઠો ! પ્રયત્ન કરો, નહિતર વખત ગયા પછી પશ્ચાત્તાપ નકામો છે. આ પ્રમાણે સમભાવ લાવવા માટે-રાગદ્વેષની પરિણતિ હઠાવવા માટે આ બાર ભાવનાથી અંતઃકરણને વારંવાર વાસિત કરવું. આ બાર ભાવના સંબંધી વિચાર કરશો તો જણાશે કે તે ભાવનાઓ પાપરૂપ મળ કે મલિન વાસનારૂપ મળ સાફ કરવા માટે જુલાબની ગરજ સારે છે. |૧૧૬ 888888a8888888888888888888888a88888888, Jain Education International 888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy