SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBS 2llol Ellis, છછછછછછછછછછછછછ છછછછછછછછછછછછછછછ09છછછછછછછછછa| તે સર્વ સ્થાનોમાં અજ્ઞાન અને અહંકાર વૃત્તિથી કરાતાં શુભાશુભ કર્મના બંધનોથી બંદીવાન થઈ જીવો તેમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. પાછા જન્મે છે અને પાછા મરે છે. આવી રીતે આ સંસારપરિભ્રમણનું ચક્ર ચાલ્યા કરે છે. એવી કોઈ પણ જાતિ પ્રાયઃ નહીં હોય કે આ જીવે તેનો અનુભવ લીધો ન હોય. જન્મમરણની માળાના મણકા આ રીતે ફરતા જાય છે. પણ જીવ (આત્મા) સૂત્ર તો એકનું એક જ છે, માટે તે નિત્ય વસ્તુને જ વળગી રહેવું જોઈએ. આ લોકભાવનાની વિચારણા વખતે શાસ્ત્રમાં વિસ્તારથી ત્રણે લોકમાં રહેલા સ્થાનો, પદાર્થો, જીવો વગેરેનું વર્ણન આપ્યું છે તેનો વિચાર કરવો. અધોલોકમાં ઘનવાત, તનવાત, ઘનોદધિ, તનોદધિ સાત નરક, તેના જુદાં જુદાં સ્થાનો, પાથડાઓ, તેમાં રહેલ કુંભીઓ, નારકીઓ, તેને થતી યાતનાઓ (પીડાઓ), પરમાધામીના પ્રહારો, અન્યોન્ય થતી ઉદીરણાઓ, ત્યાંનો સખત તાપ, સખત શીત, શાલ્મલી આદિ વૃક્ષોના કરવત જેવાં પત્રો, અસહ્ય વેદનાઓ, જરા પણ શાંતિ-સુખનો અભાવ તેનો વિચાર કરવો. ભુવનપતિ વ્યંતર, વાણવ્યંતર, આદિ દેવોના ભવનો, રહેવાનાં નિવાસસ્થાનો, તેમની રમણતા, તેઓ આનંદિત જીવન વગેરેનો વિચાર કરવો. તિચ્છલોકમાં કર્મભૂમિ અકર્મભૂમિ, યુગલિક મનુષ્યો તથા અસંખ્યાત દ્વીપ, સમુદ્રો, સૂર્ય, ચંદ્ર, જંબુદ્વીપ, ભરતક્ષેત્ર, માનુષોત્તર, મેરુ આદિ પર્વતો, નંદન આદિ વનો, વિદ્યાધરના નિવાસની શ્રેણીઓ, સીતાદિ મહાનદીઓ, દેવોની ક્રીડા કરવાની રાજધાનીઓ, ઉત્પાત પર્વત ઈત્યાદિનો વિચાર કરવો. BURBEUROPOZOROBORUBURURURGIUBEBUBUBURBERREBBERUBBBBBBBBBBBBBBBBBBURUBUBBB (OS ૧૧૪ 88888888888888888888888888888888888 8888888888 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org:
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy