SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ EBURURUBBBBBBBURUPRABBBBBBBBBBBBBBBezllot Ellos/ 88888888888888888888888888888888888888888888#GAGHERGUGH8R888888888888888888 કર્મપાશથી અતિ બંધાયેલી અને નાના પ્રકારની યોનિઓમાં રહેલી જીવની રાશિઓ જેમાં ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે તે લોક છે. ભાવાર્થ : ધર્મભાવનામાં ધર્મસ્વરૂપ સમજાવ્યું. હવે લોકભાવના એટલે આ લોકસંબંધી વિચાર કરવો. આ વિચાર કરવાનો હેતુ એવો છે કે મનની ચંચળતાવાળો સ્વભાવ છે. ગમે તેવા ઠેકાણે તેને ગોઠવો પણ પૂર્વના સંસ્કારને પ્રબોધક સહજ નિમિત્ત મળ્યું કે તેમાંથી છટકી જઈ અન્ય વિચારોમાં ગોઠવાઈ જશે. આ લોકભાવનાના વિચારો કરાવવા તે તેની ચંચળતાને વધારે ચંચળ કરાવીને શાંતિ આપવાનો ઉપાય છે. ઘોડો ઘણો ચપળ અને ઉદ્ધત તોફાની હોય, ઊભો રાખવા છતાં દોડવાની ઈચ્છા કરતો હોય, પણ તેને એક વાર રેતીના ઊભા રણમાં પ્રવેશ કરાવી, તેની ઈચ્છાથી પણ વધારે દોડાવવાથી, છેવટે થાકી જઈ ચલાવવા પ્રયત્ન કરવા છતાં પણ તે ઊભો રહી જશે. આ ન્યાયે મનના ચપળ સ્વભાવને વધારે ચપળતા કરાવી, આખા લોકમાં ફેલાવી મનને શાન્ત કરવાનો આ ઉપાય છે. આમાં મનને પોતાની ઇચ્છાનુસાર વિચાર કરવા નહિ દેતાં, આપણી ઇચ્છાનુસાર-આપણા કહ્યા મુજબ, તેટલા વખત સુધી વિચાર કરાવવાની ટેવ પાડવામાં આવે છે; મતલબ કે મરજી મુજબ વિચાર કરાવીએ અને મરજી મુજબ વિચાર બંધ કરાવીએ. લાંબા કાળે આ ટેવથી સારો ફાયદો થાય છે. મન કાબૂમાં આવે છે અને પછી જે હું જાતના વિચાર કરવાની ટેવ પડાવીએ છીએ તે સિવાય આપણી ઇચ્છાવિરુદ્ધ જુદી જાતના વિચારો કરતું તે અટકે ૨ છે. આપણે કહીએ તે જ જાતના વિચાર મન કરે અને ફરી આપણે તેને શી આજ્ઞા કરીએ તે સાંભળવાની રાહ જોતું મન બેસે. આ કાંઈ ઓછો ફાયદો થયો ન કહેવાય. 8િ8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888@ 1 1 2 BOBOROBUDUREREBBEROBERUBBERBORBEEBBRZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy