SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ EV101 Elfùs, RERURURURURURURURUKURY 333333; આ ધર્મના અમુક પવિત્ર અંશો-ભાગો (જેવા કે સર્વ જીવને આત્મસ્વરૂપે જોવા, સર્વ જીવોની દયા કરવી, જીવોને અભય આપવું વગેરે) તેનો આશ્રય કરીને ઘણા જીવો મોક્ષ પામ્યા છે અને પામશે. નાસ્તિક લોકો જેઓ ધર્મધર્મ જેવું કાંઈ માનતા નથી, આત્માને પણ નિત્ય સ્વરૂપે સ્વીકારતા નથી, તેઓ આ ધર્મના રહસ્યને શું સમજે ? તેમના કુતર્કવાળા વાદો, આ ધર્મનું મહાન સ્વરૂપ કેવી રીતે પ્રતિપાદન કરી શકે ? કારણ કે ધર્મ અનુભવગમ્ય છે. વ્યવહારમાં ગમે તેવું તેનું સ્વરૂપ કથન કરો, તથાપિ તેનો અનુભવ કર્યા વિના તેનાથી ઉત્પન્ન થતી સુખશાન્તિ મળી શકતી નથી. 8888888888888888888888888888888 (3848893808888888888888888888888888 હે ભવ્ય જીવો ! આવી ઉત્તમ અનુકૂળતા તમને મળી છે, તો તેનો દુરુપયોગ ન કરતા તેને સફળ કરો. ધર્મનો અનુભવ મેળવવા માટે પ્રમાદ ન કરતા સાવધ થવું તે આ ભાવનાની વિચારશ્રેણીનો ઉદ્દેશ છે. ૪૦-૪૧. આ લોક શું છે, તે સંબંધી વિચાર લોકભાવના जीवादयो यत्र समस्तभावा जिनैर्विलोक्यन्त इतीह लोकः । उक्तस्त्रिधासौ स्वयमेव सिद्धोस्वामी च नित्यो निधनञ्च चिन्त्यः ॥ ४२ ॥ उत्पधन्ते विपधन्ते यते जीवराशयः I कर्मपाशातिसंबद्धाः नानायोनिषु संस्थिताः || ४३ || જિનેશ્વરો, જેમાં જીવ આદિ સમસ્ત પદાર્થો જુએ છે તે આ લોક સમજવો. તે લોક ત્રણ પ્રકારે કહ્યો છે. તે સ્વયંસિદ્ધ છે, પોતે જ માલિક છે, નિત્ય છે અને નાશ પામનાર નથી, એમ વિચાર કરવો. ૪૩. 888 888888888888888a8888889388888Kf< &88&[૧૧૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy