SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ રખર સંમેGSR89RW9W86% ધ્યાન દીપિકા 8888 અભિમાન રહિત થવું - અહંવૃત્તિનો નાશ સાધવો. ૨ હૃદય કોમળ, સરલ, માયારહિત રાખવું છળ પ્રપંચાદિને હૃદયથી રજા આપવી. ૩ જે મળે તેમાં સંતોષ માનવો - સંતોષમય જીવન ગુજારવું. ૪ બાહ્ય અત્યંતર તપ કરવું-ઇચ્છાનો નાશ સાધવોઇચ્છારહિત થવું. ૫ મન અને ઇંદ્રિયોનો નિગ્રહ કરવો-સંયમ સાધવો. ૬ પ્રિય, પથ્ય, સત્ય અને હિતકારી બોલવું-સત્ય શોધવું. સત્ય સ્વરૂપ થવું. ૭ મન, વચન, શરીરને અશુભ સંકલ્પ, અશુભ ઉચ્ચાર અને અશુભ-વિરુદ્ધ-આચરણથી અળગાં રાખવાં અને શુભ સંકલ્પ, શુભઉચ્ચાર અને શુભઆચરણથી પવિત્ર રાખવાં. ૮ નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું-આત્મજ્ઞાનમાં-બ્રહ્મમાં રમણતા કરવી. ૯ સર્વ પરિગ્રહનો ત્યાગ કરવો, શુભાશુભ કર્મો ઉપરથી પણ મમત્વ કાઢી નાખી આત્મસ્વરૂપે થઈ રહેવું. ૧૦ આ દસ પ્રકારે ધર્મ છે. આ ધર્મ જગતને પવિત્ર કરનાર છે, શાન્તિ આપનાર છે, સ્વર્ગના ઈચ્છુકને સ્વર્ગસુખ પણ આપનાર છે. ઇચ્છાપૂર્વક ધર્મનું સેવન કરવાથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે અને મોક્ષના ઇચ્છુકને મોક્ષ પણ આપનાર છે. આવો પવિત્ર ધર્મ મળવો દુર્લભ છે, તેનો વિચાર કરી અનુકૂળ અવસર મળ્યા છતાં પ્રમાદ ન કરતા યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી. 8888 Jain Education International 333333888/3g ૧૧૦%aa%a99@gs/aIless:*&#989@Gz9s88384 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy