SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ નિદાપકા 88 88888888888888888888888888888888888 RUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBORED BUBBBBBBBBBBBBUREZUREBUIERES સારું કામ કરવાની અને ખોટું કામ ન કરવાની ટેવ પાડવાથી આ કર્મનિર્જરાનો માર્ગ સુલભ થાય છે અને વિશેષ પ્રકારે નવીન અશુભ કર્મ ન બાંધવાના માર્ગને મદદ મળે તેવું મન થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને સમજવાથી, વારંવાર તેનો વિચાર કરવાથી, અહંકારનો નાશ કરવાથી, કોઈ એક એવી હું નવીન જાતની વિરક્તતા અને આત્મજાગૃતિ પ્રાપ્ત થાય છે. આ સર્વભાવ ઉપરની ઉદાસીનતાવાળી વિરક્તતા-સામ્ય સ્વભાવવાળી આત્મજાગૃતિ-નિર્જરા સાથે નવીન કર્મબંધ ન થાય તેવી સ્થિતિ મેળવાવી આપે છે. - “દોષવાળું સુવર્ણ જેમ અગ્નિમાં નાંખવાથી શુદ્ધ થાય શું છે તેમ જીવ, પરૂપ અગ્નિ વડે શુદ્ધ થાય છે.” કર્મને તપાવે તે તપ છે, સૂર્યના તાપથી દુનિયા પર રહેલા અશુચિ પદાથોમાંથી અશુચિતા, દુર્ગધવાળા પદાર્થોમાંથી દુર્ગધ ઉડી જાય છે, રસ્તા પર થયેલ કાદવ કે કીચડમાંથી ચીકાશ ઉડી જાય છે અને રસ્તાઓ સ્વચ્છ થઈ રહે છે. આનું કારણ સૂર્યમાં રહેલી શોષક શક્તિ છે. આવી જ રીતે મનમાં રહેલી રાગદ્વેષની પરિણતિરૂપી ચીકાશ-આસક્તિ તેને જેના વડે ઉડાવી દેવાય અને મનને સ્વચ્છ-નિર્મળ કરી શકાય તે તપ છે. ઉપવાસાદિ કરવાં તે શરૂઆતની પહેલી ચોપડી છે. તે પણ સમજીને પોતાની શક્તિની તુલના કરીને કરવાં જોઈએ. જેનામાં વિષયાદિ વિકારોની પ્રબળતા હોય છે, તેને તત્કાળ શાન્ત કરવા માટે ઉપવાસ ઉપયોગી સાધન છે. પણ આ એકલા ઉપવાસની અસર ઇન્દ્રિયો ઉપર લાંબો વખત ટકી શકતી નથી. ઉપવાસથી તેના શરીરના અવયવો ઢીલા GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURBRUIKBWBVRORUBUBUBURUBUBUBUBUBU. GRUBERCRUBBEBERUBBERCRURUBBBBBUBUBURBROR 104 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy