SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ GRUBUEUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB cz1 1o EINSI PIES8888888888888888888888888888888888888888888888888888888888888888888888888 થશે, ઇન્દ્રિયોના વિકારો શાંત થશે, વિકાર કરનારી વીર્યશક્તિ બળી જશે, પણ તે ઉપવાસ કરવા બંધ કર્યા એટલે પાછી વિકારાદિની સ્થિતિ પૂર્વની માફક પ્રગટ થઈ આવશે. આ ઉપવાસની અસર શરીર સુધી પહોંચે છે, પણ મન ઉપર તેની થોડી અસર થાય છે. આ ઉપવાસો કાંઈ કાયમ કરી શકાતો નથી. લાકડાં કાઢી લીધાં એટલે અગ્નિ મંદ થશે; પાછાં લાકડાં અગ્નિમાં નાંખશો એટલે અગ્નિમાં વધારો થશે. આમ ખોરાક ન આપવાથી શરીર ઇન્દ્રિયો સાથે નરમ થશે; મન તો સહેજસાજ ખોરાકના અભાવે નરમ પડશે; પણ પાછો જ્યાં ખોરાક દેહમાં પડ્યો કે પાછી વિકારોની જાગૃતિ તેવી ને તેવી જ થશે. આ માટે શરૂઆતમાં ઉપવાસાદિ ઉપયોગી છે, પણ આપણે કાંઈ શરીરનો નાશ કરવો નથી; શરીરનો નાશ કરવો હોય અને શરીરના નાશથી કર્મનો (રાગ, દ્વેષ, હર્ષ, ખેદની લાગણીનો) નાશ થતો હોય તો તો વિષ આદિ અનેક જાતના પ્રયોગોથી, એક ઘડીમાં દેહથી આત્માનો વિયોગ કરાવી આપનારા અનેક ઉપાયો હું દુનિયા પર તૈયાર છે, પણ તેનાથી પરમશાન્તિનું કાર્ય સિદ્ધ થતું નથી. આપણે દેહનો નાશ કરવાનો નથી, પણ મનમાં રહેલ-કર્મની સત્તા જમાવી પડેલા રાગદ્વેષ, અજ્ઞાનાદિનો નાશ કરવાનો છે, એટલે કે મન ઉપર અસર કરવાની છે, તો તેને માટે મનને શુદ્ધ કરવા સારું એક પવિત્ર-નવકાર મંત્રનોપરમાત્માના નામના વાચક શબ્દનો અખંડ જાપ કરવો. આ ઉપવાસ પછીનો બીજો માર્ગ છે બીજી ભૂમિકા છે. લોકો ઉપવાસાદિ ઘણા કરે છે, તે સંબંધી તેઓ ઘણું છે જાણે છે. એટલે તે સંબંધી અહીં વિશેષ લખવું યોગ્ય ધાર્યું નથી. BUDUBBBBBBBBBBBBBBBBBBBBBBGBORGBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBO 105 BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBZ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy