SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB allo Ellosi 8888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 આમ વિચાર કરી જો સમભાવની સ્થિતિમાં આવી છે જાઓ તો નવીન કર્મબંધ થતો અટકી પડે; નહિતર આ છે. કર્માવર્તનું વિષમચક્ર પાછું આવી ઊભું રહેવાનું જ અને એક છે પછી એક આવા આઘાતપ્રત્યાઘાત થયા જ કરવાના. આ જ પેલી કોઠીને ખાલી ન થવા દેવાનું કારણ. હું સંસાર પરિભ્રમણ ચાલુ રહેવાનું આ જ કારણ. નવીન બંધ કેમ થાય છે તેને સમજવાની આ જ કૂંચી છે. સમ્યક્દૃષ્ટિ થયા સિવાય નવીન બંધ થતો અટકતો નથી માટે આત્મદષ્ટિ જાગૃત કરી સામ્ય સ્થિતિમાં આવી જવું જોઈએ. કોઈ પણ જાતની ઈચ્છા કરીને, પ્રાપ્ત કરવા યોગ્ય વિષયને ઉદ્દેશીને ક્રિયા ચાલુ રાખશો ત્યાં સુધી તમારી ઇચ્છાના હું પ્રમાણમાં કર્મના પુદ્ગલો ખેંચાવાના જ. પણ જો પૂર્વના ઉદય પ્રમાણે નિરીહપણે વર્તન ચાલુ રાખો, ઈનિષ્ટમાં હર્ષશોક ન કરો, અનિચ્છાએ પણ પૂર્વકર્મના ચક્રના વેગ $ પ્રમાણે તમારી પ્રવૃત્તિ ચાલુ રાખો અને જે કાળે જે આવી જે મળે તેમાં ખેદ કે આનંદ ન માનો તો નવીન કર્મબંધ ન થતાં પૂર્વના કર્મ નિર્જરી જશે-ખરી પડશે. પૂર્વકર્મનો અવશ્ય ઉદય થાય છે એમ વિચારી સામ્ય યા મધ્યસ્થ સ્થિતિ રાખવાથી હર્ષ, શોક વિના અનુભવ કરવાથી નવીન કર્મબંધને અટકાવી શકાય છે. આવી મધ્યસ્થ સ્થિતિએ પહોંચવા માટે કે થયેલી ઉત્તમ હું સ્થિતિ ટકાવી રાખવા માટે વિચારવાન મનુષ્યોએ યશકીર્તિની છે ઇચ્છા વિના કે પુદ્ગલિક સુખની લાલસા વિના શુભ કાર્યમાં પ્રવૃત્તિ, અશુભ કર્મથી નિવૃત્તિ અને સંવરભાવનો વધારો કરવો, ઈત્યાદિ રસ્તાઓ યોજવાના છે. BBBBBBBBBBBBBBBBBBBBRVEGBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB ior KURUBBERBORGEBEURGEGERBEZOREREBBBBBBBBBBBBS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy