SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યનિદપિકા 88888888888888888888888888%88888888 BBBBBUGBUBBBBBBBBBBBGBUBURG BUBUBUBBBBBBBBBBBBBBBBBBUBBBBBBBBUBUBUBUBUBURURES આવી જ રીતે શારીરિક, વાચિક કે માનસિક શક્તિનો સારી લાગણીથી કોઈને મદદ કરવાદિ પરોપકારના કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે તો આ શુભકર્મનો બંધ થાય છે. અહીં આ શંકા ઉત્પન્ન થવાનો સંભવ છે કે આ શરીરાદિના નિમિત્તથી અન્યના શરીરાદિને નુકશાન પહોંચે તેવું કર્મ બાંધેલું હોય અને તેને લઈને અન્યને નુકશાનાદિ કરવાથી તેનું પૂર્વકર્મ છૂટી જતું હોય તેમ શા માટે ન માનવું ? અને જો તેમ થતું હોય તો પછી નવીન કર્મ શા માટે બંધાય ? કદાચ આ કહેવું માન્ય કરીએ તેમ પણ સંભવે, છતાં તમારા શરીરાદિ દ્વારા અન્યને નુકશાન પહોંચાડતી વખતે પણ જો તમારા મનમાં હર્ષ, શોકની લાગણી ન હોય તો તમને કર્મથી બાંધવાનું પછી કાંઈ કારણ રહેતું નથી. તમારું પૂર્વકર્મ નિર્જરી ગયું, ભોગવાઈ ગયું, પણ તમારા હાથ પગ, આદિથી અન્યને દુઃખ થયું, તેના પ્રમાણમાં સામા મનુષ્ય તરફથી પાછો તમને આઘાત થવાનો જ. આ આઘાતને સહન કરવાનું બળ તમારામાં હોવું જોઈએ. તે પોતાને લાગેલા પ્રહારથી તમને પ્રહાર કદાચ કરે, નુકશાન પહોચાડે તે વખતે જો તમારામાં રાગદ્વેષની પરિણતિ ઊઠે, તેનો પ્રતિકાર કરવા તમે ઊઠો તો તે વખતે તમે નવીન કર્મ બાંધવાના જ. આ વખતે તમારે સંતોષ માનવો જોઈએ કે મારા હાથ, પગથી અન્યને થયેલા પ્રહારનો આ બદલો છે, છતાં જો હું તેને સહન નહિ કરું તો મારા તરફથી કરાતા આઘાતનો ફરી પાછો બદલો સામા પક્ષ તરફથી કરાતા પ્રત્યાઘાતરૂપે થવાનો જ, મળવાનો જ. 8િ888888888888888888888888888888888888888888888888888888888888888888888888888888889 GRBBBBBBBBBRGRSBEREBBBBBBBBBBBBBBBBBBBBBBB103 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy