SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 388888888888888 SGSGRY મ્યુસર*-નીશ્યન,868 ધ્યાન દીપિકા ન થવાનું કારણ એ છે કે જીવો તેમાં દરેક ક્ષણે નવીન વધારો કરતા જ રહે છે. એક અનાજની કોઠીમાં પચીસ મણ અનાજ ભર્યું હોય તેમાંથી નિરંતર એક શેર અનાજ કાઢવામાં આવે તો એક હજાર દિવસે અવશ્ય તે કોઠી ખાલી થવી જ જોઈએ છતાં નીચેની એક બાજુથી નિરંતર એક શેર અનાજ કાઢીએ અને ઉપરની બાજુથી તે કોઠીમાં જેટલું અનાજ કાઢયું હોય તેટલું કે તેનાથી અધિક ઓછું નાખ્યા જ કરીએ તો તે કોઠી ખાલી થવાનો પ્રસંગ કોઈ વખત ન જ આવે. આ દૃષ્ટાંતે જીવો જ્યારે જ્યારે કર્મથી ઉત્પન્ન થતાં સુખદુઃખાદિનો અનુભવ કરી કર્મ ઓછાં કરે છે, તે તે કર્મનો અનુભવ કરતી વખતે સુખદુ:ખમાં રાગદ્વેષની પરિણતિથી હર્ષશોક કરે છે. રાગદ્વેષ એ ચીકાશ છે. ઇષ્ટપ્રાપ્તિથી ખુશ થવાય છે. અનિષ્ટપ્રાપ્તિથી નારાજ થવાય છે. પૂર્વકર્મનો ઉદય અનુભવતી વખતે સામ્ય સ્થિતિ રહેતી નથી. સારું કે નઠારુ કરેલું જ ઉદય આવે છે તો પછી પોતાની મહેનતના મળેલા બદલાથી હર્ષ, શોક, ખેદ કે આનંદ શા માટે કરવો જોઈએ ? સભ્યષ્ટિ થયા સિવાય આવી સ્થિતિ રહી શકે જ નહિ, અને તેવી સ્થિતિના અભાવે તે જીવ રાગદ્વેષવાળી જેવી અને જેટલા પ્રમાણવાળી લાગણીથી તે કર્મનો અનુભવ કરે છે તેટલા પ્રમાણમાં તે નવીન કર્મ બાંધવાનું કારણ થાય છે. પૂર્વકર્મના ઉદયથી હાથ, પગ આદિ શારીરિક શક્તિ મળી છે પણ તેનો ઉપયોગ અન્યને નુકશાન કરવામાં, હેરાન કરવામાં કે મારવામાં, રાગદ્વેષની તીવ્ર કે મંદ લાગણીથી કરવામાં આવે છે, તો આ લાગણીઓ નવીન અશુભ કર્મબંધ કરવામાં હેતુભૂત થાય છે. ૧૦૨ ૩8GsRGBKGKS/KBS8W983@GS3888a8a8888888 Jain Education International 88888888888888888888888 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy