SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ EUROT EIRUSI BURGBUBBBBBBBBBBBBBBBERBASPBBBBBBB w men88888888888888888888888888888888888888888888888888888888888888888 સહન કરવા, પરોપકારના કાર્યોમાં મન, વચન, શરીરની શક્તિને ફોરવવી, પોતાના શરીરને કષ્ટ થાય છે કે મહેનત પડે છે. તેની પણ દરકાર ન રાખતાં અન્યને ઉપયોગી મદદ કરવી, ઈત્યાદિ કાર્યોમાં પોતાનું પુરુષાર્થબળ-વીર્ય ફોરવવું તે હું ઉદીરણા પ્રયત્ન કહેવાય છે. આ સર્વ સહન કરતાં આર્ત-રૌદ્ર પરિણામ ન થાય, કર્મક્ષય કરવા નિમિત્તે જ પ્રયત્ન હોય, આત્મદશાની જાગૃતિપૂર્વક પ્રવૃત્તિ થતી હોય તો આ ઉદીરણાથી પૂર્વકર્મ નિર્જરવા-દૂર થવા સાથે નવીન બંધ પણ થતો નથી. સ્વાભાવિક રીતે કર્મના પરિપાકકાલે જે સુખદુઃખાદિ ઉત્પન્ન થાય છે તે કર્મનો ઉદય કહેવાય છે. અને કર્મનો ક્ષય કરવા નિમિત્તે આત્મઉપયોગની જાગૃતિપૂર્વક જેટલી કષ્ટસાધ્ય કે સુસાધ્ય ક્રિયાઓ જાણી જોઈને કરવામાં આવે છે તે ઘણે ભાગે ઉદીરણારૂપે હોય છે. દરેક જીવો ઉદય આવેલ કર્મ ભોગવે છે જેટલું ભોગવાય છે તેટલું ઓછું થાય છે છતાં તેઓ મુક્ત થતાં નથી. તથા “આ” પૂર્વનું કર્મ છે અને “આ” અત્યારે નવું બંધાયું છે આનો નિર્ણય કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન પ્રથમ કેટલું કહેવાઈ ગયું છે. તથાપિ વિશેષ સ્પષ્ટતા માટે તેનું સમાધાન આ પ્રમાણે થઈ શકે છે. જીવો અત્યારે જે કર્મફળ ભોગવે છે તે પૂર્વના કર્મનું પરિણામ છે. કારણ પ્રથમ અને કાર્ય પછી-આ ન્યાયે વર્તમાન કાળે જે સ્થિતિ અનુભવાય છે તે પૂર્વકૃત કર્મનું ફળ ભોગવાય છે, એટલે નવું કાંઈ નથી પણ બધું જૂનું છે. આ જૂનું જેમ ભોગવાય છે તેમ ઓછું થયા જ કરે છે છતાં સર્વથા ખાલી BABRURERERERERRURERERURURERERERERERERERER 101 1828BGBUBUBOBURGERBRUBUBURURUBUBUBUBUBURURUBUBBBBBBBBBBBVRYBURUBRUBUBURBBUR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy