SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBZUBUBURBZW4llo Eljusi 88888888888888888888888888888888888888888888888888888888888888888888888888888 ત્યારે આ ઉદીરણા કોણ કરે ? અને તેથી તેને ફાયદો પહોંચી શકે ? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે આગળ આવીને ઊભો રહે છે. સમાધાન આ પ્રમાણે થવા યોગ્ય છે. જેને આત્મઅનાત્મનો, જડ-ચૈતન્યનો વિવેક થયો હોય, ઉદય આવનાર સુખદુ:ખોને સમપરિણામે સહન કરવાને સમર્થ હોય, લાભાલાભનો વિચાર કરી શકનાર હોય-મતલબ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી અવસરઉચિત વર્તન કરનાર, કદાગ્રહી ન હોય, ઉદય આવતા કર્મમાં રાગદ્વેષ, હું હર્ષશોક ન કરતાં તેવા અનેક પ્રસંગોને સમભાવે ઓળંગી ગયેલ હોય, પૂર્ણ નિઃસ્પૃહ હોય, ઇત્યાદિ સામર્થ્યવાળા, આત્મજાગૃતિમાં જાગૃત થયેલા પુરુષો સત્તાગત ક્લિષ્ટ કર્મ ખપાવવા નિમિત્તે ઉદીરણા કરે છે, તેઓ ઘણે કાળ ભોગવી શકાય તેવાં કમોં આત્મબળથી થોડા વખતમાં ભોગવી લે છે. ભગવાન મહાવીર દેવે છબસ્થાવસ્થામાં વિવિધ પ્રકારની હું તપશ્ચર્યા કરી હતી. ઘેર રાજ્યાદિ અનુકૂળ સામગ્રી હોવા છતાં તેનો ત્યાગ કરી ઘોર પરિષદો સહન કરવાનું યોગ્ય ધાર્યું હતું. આર્ય દેશમાં ઉપસર્ગો ઓછા થવા લાગ્યા અને ક્લિષ્ટ કર્મો હજી અધિક બાકી છે તેમ જણાતાં તે કર્મની ઉદીરણા નિમિત્તે અનાર્ય દેશમાં ગયા હતા અને જાણી જોઈને ત્યાં વિવિધ પ્રકારના ઉપસર્ગો અને કષ્ટો સહન કર્યા હતાં. આવી જ રીતે અનુકૂળતાવાળી યોગ્ય સામગ્રી હોવા છતાં નાના પ્રકારની તપશ્ચર્યા કરવી, કરેલ કર્મની ગહ કરવી, ગુરુની સાક્ષીએ પોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરવો, મન, વચન, કાયાનો સંયમ-નિગ્રહ કરવો, મહાન અભિગ્રહો લેવા, ધ્યાનનિમગ્ન થવું, તેમાં આવી પડતા પરિષહો કે ઉપસ> સમભાવે BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBURUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB18 400ORUBUBBBBBBBBBBBBBBBBBBGRUBURROBORRRRR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy