SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ llot Elfus, FORBRBRBBBBBBBBBBBBBBBBBBBRERUBBBBBB GBBBBBBBBBBBBBBBBUBUBUBUBURBEKRERURUSEBORGBURBURUDUBBBERORDBERGBERGBUBURBE કર્મની ઉદીરણા કરી ઉદય બહાર લાવે છે. આયુષ્યને ટૂંકુ કરે છે હ્યું છે. આ ઉદીરણા છે, પણ તે ઉદીરણા તેમને ફાયદાજનક નથી. આ સ્થળે અજ્ઞાનદશા છે. આ ઉદીરણાથી દુ:ખ ભોગવવાનું વહેલું ઉદય તો આવ્યું પણ તેથી તેના કર્મ નાશ છે પામી તે નિર્વાણની શાંત સ્થિતિ ભોગવી શકવાનો નહિ. કારણ અજ્ઞાનદશા જ્યાં સુધી જાય નહિ, બીજમાંથી ઊગવાની શક્તિ નષ્ટ ન થાય, કર્મના ઊંડાં મૂળો જમીનમાંથી મૂળથી ખોદી કઢાય નહિ ત્યાં સુધી તો કર્મના અંકુરો પાછા ફૂટવાના જ. વૃક્ષની એકાદ ડાળી કાપી નાંખવાથી તે વૃક્ષની નાશ થવાની આગાહી કરવી જેમ નિરુપયોગી છે-નિષ્ફળ છે તેમ આ અજ્ઞાનજન્ય ઉદીરણા નકામી છે. આમ કરનાર મનુષ્ય પોતાના અજ્ઞાનને લીધે વધારે મજબૂત બંધન પામવાનો. આ અજ્ઞાનજન્ય ઉદીરણાથી ઉત્પન્ન કરેલા દુઃખનો અનુભવ કરતાં તેને કલેશ, શોક, આકંદ, પશ્ચાત્તાપ વગેરે પાછળથી થવાના અને કદાચ માનો કે તેણે આ પ્રયોગ પોતાની ઇચ્છાથી કરેલ હોવાથી શોક, આક્રંદ તે ન કરે કે તેને ન થાય તો પણ અજ્ઞાનદશામાં શરીરનો નાશ કરવાથી તે ઇષ્ટ સિદ્ધિ મેળવી શકવાનો નથી. શરીર કંઈ કર્મબંધનું કારણ નથી કે તેનો નાશ કરવાથી દુ:ખનો નાશ થાય ! શરીર જ કર્મબંધનું કારણ હોય તો આત્મજ્ઞાની છે. કેવલજ્ઞાની પુરુષોને પણ શરીર તો હોય છે જ. તેઓને પણ બંધ થવો જોઈએ. પણ તે શરીર તેમને કર્મબંધરૂપે થતું નથી. તે બંધના ખરા કારણો અજ્ઞાન, રાગ, દ્વેષ, મમત્વ, ઇત્યાદિ છે, તેમને દૂર કર્યા સિવાય શરીરનો નાશ કરવાથી કંઈ ફાયદો થવાનો નથી. શરીર તો ઊલટું કર્મબંધ તોડવામાં મદદગાર સાધન છે. BBURUB828BBBBBBBBBBGRUBURUDUBERCRUISBUBURUBURUBROSURURUBBBBBBBBBZUBURUBA SBOBOBOROBUDUBURBERRORURGERSBORURGIUBBBBBBBC Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy