SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 88888888888888888888888888888888888888888 દિપક *888888888888888888888888888888INGUSUGA&USG8QGHH88888888888888888888888 વિશેષ દુઃખરૂપ લાગે છે. મતલબ કે કુદરતી દુઃખ જે પ્રાપ્ત થાય છે તે તો તેનો અંત આવે ત્યારે જ દૂર થઈ શકે છે અને તે બરોબર પરિપક્વ થયા પછી જ આવે છે, જેથી તેની અસર ઘણી સખત થાય છે. માટે પ્રયત્ન કરી કર્મફળને વેળાસર જાગૃતિપૂર્વક પકાવીને સ્વેચ્છાથી જ પરિણામ સહન શું કરવું તે ઉત્તમ છે. પહેલું કારણ અને પછી કાર્ય. આ વ્યવહાર ઘણે સ્થળે હું મોટેભાગે લાગુ પડે છે. આ દેહ કાર્ય છે, તો તેનું કારણ આ દેહ મળ્યા પહેલાના કર્મ હોવા જ જોઈએ. અત્યારે જે દુઃખ અમુક મનુષ્ય અનુભવે છે તે કાર્ય છે, તો તેનું કારણ તે દુઃખ પહેલા હોવું જોઈએ. અત્યારે સુખ પ્રાપ્ત થયું છે તો તેનું કારણ તેના પહેલાનું શુભ કર્મ માનવું જ જોઈએ. તેવી જ રીતે વિચાર કરવાના સાધન તરીકે મન છે, બોલવા માટે વચનશક્તિ છે, તેમ જ મનુષ્યના આખા જીવનમાં જેટલા અનુકૂળ કે પ્રતિકૂળ, ઈષ્ટ કે અનિષ્ટ સંયોગો મળી આવે છે તે બધા કાર્યરૂપે હોવાથી તેનું કારણ તે મળ્યા પહેલાનું શુભ કે અશુભ કર્મ માનવું જોઈએ. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે અત્યારે આપણને જે અનુભવ કરવો પડે છે તે પૂર્વભવનો પ્રયત્ન છે, નવું કાંઈ નથી. આ પૂર્વના પ્રયત્નને જોર કરીને તરત ઉદયમાં લાવવો તેને ઉદીરણા કહે છે. દષ્ટાંત તરીકે, દુઃખથી કંટાળેલા, ક્રોધથી ધમધમી રહેલા, વહાલાના વિયોગથી વ્યાકુળ થયેલા, કેટલાએક અજ્ઞાની જીવો તે અસહ્ય દુઃખથી મરવાને તૈયાર થાય છે, આપઘાત કરે છે, પથ્થર વડે માથું ફોડે છે, આપઘાત કરી આયુષ્યનો નાશ કરે છે. આ સ્થળે એમ સમજાય છે કે તેઓ આ નિમિત્તોને પામી સત્તામાં રહેલા અશાતા (દુઃખમય) BUBBBBBBBBBBBBBBBBBURREREBBBBBBBBBBBBBBBBBBBBBB.UBBERBURUBBBBBBBBBBBBBUROR EC BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURUR Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy