________________
૮૮
જૈનધર્મ
જીવો કહેવાય છે.
સ્થાવર જીવો પાંચ પ્રકારના છે. એ પાંચેય જીવોને માત્ર એક સ્પર્શ-ઈન્દ્રિય હોવાથી, તેને એકેન્દ્રિય જીવો પણ કહે છે.
૧. પૃથ્વીકાય : પથ્થર, ધાતુ, સુરમા, પરવાળા વગેરે માટીના
જીવો
૨. અપકાય: ધુમ્મસ, ઝાકળ વગેરે દરેક જાતના પાણીના જીવો.
૩. તેઉકાય : તણખા, અંગારા,જવાળા, વીજળી, દાવાનળ વગેરે અગ્નિના જીવો
૪. વાયુકાય : પવન, વાવાઝોડું વંટોળિયો વગેરે દરેક જાતના વાયુના જીવો.
૫. વનસ્પતિશય : લીલોતરી, ફળ-ફ્લ, વૃક્ષ વગેરે દરેક જાતની વનસ્પતિના જીવો.
વનસ્પતિકાયના જીવો બે પ્રકારના છેઃ
કે સાધારણ વનસ્પતિકાય: જેમાં શરીર એક હોય પરંતુ તેમાં અસંખ્ય અને અનંત જીવો રહેતા હોય. દાત. કાંદા-બટાટાં વગેરે કંદમૂળ, લીલ-ફૂગ, ગળો વગેરે આ દરેક ને અનંતકાય પણ કહેવામાં આવે છે.
કે પ્રત્યેક વનસ્પતિકાય : એકજ શરીરમાં એક જ જીવ હોય, વૃક્ષમાં, મૂળમાં થડમાં, છાલમાં, ફૂલમાં, ફળમાં, પાંદડામાં, બીજમાં આમ દરેકમાં જાદો જુદો જીવ હોય.
ત્રસ જીવો કે બેન્દ્રિય જીવો: સ્પર્શ [ત્વચા અને રસના [જીભ] એમ બે ઇન્દ્રિયવાળા જીવો. જેમ કે શંખ, કોડા, કરમિયા,વાસી અનાજના જીવો, પોરાં, લાકડાંનાં કીડા, અળસિયા વગેરે.
કે તેઈન્દ્રિય જીવોઃ સ્પર્શ, રસના અને ઘાણ [નાક] આ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org