________________
જૈનધર્મ
દેહના પ્રમાણમાં આત્મા સમાઈ જાય છે. દેશના પરિમાણ મુજબ આત્માનો પણ સંકોચ અને વિસ્તાર થાય છે. સમયનો કોઈ આરંભ કે અંત નથી તેમ આત્મા-જીવ પણ અનાદિ અને અનંત છે. તેમજ આત્મા અવિનાશી છે તેના મૂળ સ્વરૂપનો કયારેય નાશ થતો નથી. કર્માનુસાર માત્ર દેહ બદલાય છે. આત્મા એનો એજ રહે છે. શરીરમાં રહેલાં આત્માની પ્રતીતિ તેના બોલવા ચાલવા, હરવા-ફરવા, ખાવા-પીવા આદિ કિયાઓના વ્યવહારથી થાય છે. આ ચેષ્ટાઓ કરનારું પ્રેરક બળ તો આત્મા જ છે.
જૈન દર્શન આત્માને સ્પષ્ટપણે ચેતનામય અરૂપી સત્તા માને છે. ચેતનાનું લક્ષણ છે ઉપયોગ. સુખ અને દુઃખ દ્વારા જ્ઞાન અને દર્શન દ્વારા આ ઉપયોગ અભિવ્યકત થાય છે.
આત્મા નિરંજન અને નિરાકાર છે. આત્મા અરૂપ અને અમૂર્ત છે. તે સ્ત્રી પણ નથી અને પુરુષ પણ નથી. આત્મા તો જ્ઞાનમય અસંખ્ય પ્રદેશોનો પિંડ-સમુહ છે.
- જીવના વિવિધ પ્રકાર
સામાન્યતઃ જીવના મુખ્યત્વે બે ભેદ પાડી શકાય. ૧. મુકત આત્મા અને ૨. સંસારી આત્મા.
કર્મોના બંધનોથી જેઓ સર્વથા અને સંપૂર્ણ મુકત બની ગયા હોય તેવા શરીરરહિત આત્માને મુક્ત આત્મા કહે છે.
કમથી જેઓ બંધાયેલા છે તે શરીરધારી જીવો સંસારી આત્મા છે. સંસારી આત્માના બે ભેદ છેઃ
કે સ્થાવર : જેઓ પોતાની ઇચ્છા મુજબ હલન ચલન ન કરી શકે તેવાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો. આ દરેક સ્થાવર જીવ કહેવાય છે.
કે ત્રસ : જેઓ પોતાની ઇચ્છા મુજબ હલન ચલન કરી શકે તેવાં બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો. આ બધાં ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org