________________
જૈનધર્મ
જીવને આત્મા કે ચેતન પણ કહે છે. જેનામાં ચેતના નથી, જીવ તત્વ નથી તેને અજીવ કહે છે. જડ કહે છે. સંસારમાં દ્રશ્ય અને અદ્રશ્ય જેટલાં પણ પદાર્થો છે, વસ્તુઓ છે, એ તમામનો આ બે તત્વમાં-જીવ અને અજીવમાં સમાવેશ થઈ જાય છે.
સંસારના તમામ પદાર્થોને સમગ્રતયા સમજવા માટે જિનેશ્વર ભગવંતોએ તેનું “નવ તત્ત્વમાં વિભાજન કર્યુ છે. આ પ્રમાણે - આ દરેકની યથોયોગ્ય જરૂરી સમજ આ પ્રમાણે છે: ૧. જીવ ૪. પાપ
૭. બંધ ૨. અજીવ ૫. આશ્રવ ૮. નિર્જરા અને ૩. પુણ્ય ૬. સંવર
૯. મોક્ષ. ૧. જીવ
જે વધે છે, ઘટે છે, કે ખાય છે, પીએ છે, જે ઊંઘે છે, જાગે છે, જે કામ કરે છે, આરામ કરે છે, જે ભય પામે છે, આત્મરક્ષા માટે જે પ્રયત્ન કરે છે, જેનામાં પ્રજનન શકિત છે, તે જીવ છે. શરીર સાથે જીવ સંબદ્ધ હોય છે, ત્યારે આ બધાં લક્ષણો જીવમાં જોવા મળે છે. આ બધાં જીવનમાં બાહ્ય લક્ષણો છે.
જીવનું અંતગત લક્ષણ છે, ચેતના. જૈન દર્શન માને છે કે આત્મા [જીવ ચૈતન્યસ્વરૂપ છે. પોતાનાં મૂળ અને મૌલિક ચૈતન્ય સ્વરૂપને અખંડ અને અકબંધ રાખીને ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં તેનું પરિવર્તન થાય છે. દા.ત. સોનું અને તેના અલંકારો. સોનું મૂળસ્વરૂપે સોનું જ રહે છે. પરંતુ તેમાંથી વીટી બને છે. બંગડી બને છે. ચેઇન વગેરે પણ બને છે. ઘાટ બદલાય છે. સોનું નથી બદલાતું એ એનું એ જ રહે છે. એજ પ્રમાણે આત્મા મૂળ સ્વરૂપમાં એનો એજ રહે છે. અવસ્થાઓ તેની બદલાય છે. પર્યાયોનું પરિવર્તન થાય છે. શુભ અને અશુભ કર્મો અનુસાર આત્મા ચોરાશી લાખ દેવોમાંથી કોઈપણ એકાદ દેહને અમુક નિયત સમય માટે ધારણ કરે છે. આત્મા સ્વયં શુભ કે અશુભ કર્મ કરે છે. અને તેના સારા કે ખરાબ પરિણામ પણ આત્મા પોતે જ ભોગવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org