SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ સવાલોની પરંપરા તો ઉભી ના થાય! આ સાથોસાથ એમ પણ ના માની શકાય કે આ દુનિયાના પ્રાણીઓ ઇશ્વરના જ પ્રતિબિંબ છે. તેનાંજ બધાં અંશો છે.” આ માન્યતા સ્વીકારીએ તો એકજ ઇશ્વરના મુકત થવાની સાથે જ તમામ પ્રાણીઓ પણ મુકત બની જાય. તો તો કોઇને પણ વ્યક્તિગત મુક્તિ માટે કશી સાધના કરવાની જરૂર જ ન રહે. આ સૃષ્ટિમાં જીવતાં નાનાં-મોટાં, સૂક્ષ્મ-સ્થૂળ તમામ પ્રાણીઓ પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. દરેક પ્રાણી જીવનો આત્મા સ્વતંત્ર છે. દરેકનું પોતાનું આગવું અસ્તિત્વ છે. મુકત બનવા માટે દરેકે પોતપોતાનો વ્યકિતગત પુરુષાર્થ કરવો પડે છે. ધર્મ વ્યકિતગત છે. “ધમ્મો અપ્પકિખઓ' -Religion is always individual.મુકિત અને બંધન દરેકના પોતપોતાના હોય છે. સુખ-દુઃખની અનુભૂતિ અને અનુભવ પણ દરેકના અલગ અલગ અને અંગત હોય છે. આથી જ જૈન ધર્મ સ્પષ્ટ કહે છેઃ ૫ આ વિશ્વને ઇશ્વર બનાવતા નથી પરંતુ તેને માત્ર બતાવતા હોય છે. ઇશ્વર વિશ્વનું સ્વરૂપ-દર્શન સમજાવે છે. એમના દિવ્યજ્ઞાનના આલોકમાં અવલોકન કરીને વિશ્વનું યથાસ્વરૂપ આપણને સમજાવે છે. શ્રી તીર્થંકર પરમાત્માઓ કહે છેઃ સંસાર અનાદિ છે. તેનો આરંભ નથી. તેનો અંત નથી. અલબત્ત, સમયના પ્રવાહમાં તેમાં પરિવર્તન થયા કરે છે. સર્જન અને વિસર્જનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. આ સ્વયંસંચાલિત સંચાલન છે. કોઇ એક વ્યકિત આ સંસારનું સંચાલન નથી કરતી. સંસારનાં સંચાલનમાં કર્મસત્તા જ મહત્વનો અને મુખ્ય ભાગ ભજવે છે. નવતત્ત્વ સમગ્ર સંસાર મુખ્યત્વે બે તત્વનો જ બનેલો છે. બે તત્વનો જ બધો વિસ્તાર છે. આ બે તત્વ છેઃ જીવ અને અજીવ. અથવા અથવા ચેતન અને જડ. આ બેની જ બધી અથડામણ અને અકળામણ છે. જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy