________________
૮૪
જૈનધર્મ
ઈશ્વર એટલે કોણ ? કે ઈશ્ર્વરે શા માટે આ સૃષ્ટિ બનાવી?
ઈશ્વર એને જ કહી શકાય કે જે સર્વજ્ઞ હોય, સર્વશકિતમાન હોય, પરિપૂર્ણ હોય. ઈચ્છા, વાસના આદિ તમામ દોષોથી સર્વથા અને સંપૂર્ણ મુકત હોય. સાંગોપાંગ વિમળ અને વિબુધ હોય.
- ઈશ્વર આવો ગુણસંપન્ન હોય તો પછી એ આધિ, વ્યાધિ અને ઉપાધિ, જન્મ, જરા અને મરણના દુઃખોથી ભરેલી સુષ્ટિની રચના શા માટે કરે? કેટલાંકને સુખી, સમૃદ્ધ, નિરોગી અને રૂપવાન બનાવે અને કેટલાકને દુઃખી શા માટે બનાવે ? જો એ સર્વશકિતમાન હોય તો પછી શા માટે એણે દુનિયાની આબાદીના માત્ર ૧૨.૫ ટકા લોકોને સુખી બનાવ્યા અને ૮૭.૫ ટકા લોકોને દુખ-ગરીબી સંત્રાસ અને અભાવમાં સબડતા રાખ્યા?
“ઈશ્વરે પોતાની મનમોજ માટે દુનિયા બનાવી ” એમ માનીએ તો પાયાનો સવાલ પેદા થાય છે કે જે મનમોજીલો હોય, ઈચ્છાને આધીન હોય તેને ઈશ્વર કેમ કહી શકાય ? પોતાની મનમોજ માટે લાખો-કરોડોને દુઃખી બનાવનારને કરુણાનિધાન કેમ કહી શકાય ? ઈચ્છા એ દોષ છે. દોષિત અવસ્થામાં ભગવત્તા-ઇશ્વરત્વ કેવી રીતે પ્રકટી શકે?
“ઈશ્વરે દરેકને પોતપોતાના પાપ, પુણ્ય મુજબ સુખ-દુઃખ આપ્યાં છે” એમ માનીએ તો ઈશ્વરે શા માટે અમુક માણસોને પુણ્ય કરવાની બુદ્ધિ આપી અને અમુકને પાપ કરવાની દુર્બુદ્ધિ શા માટે આપી?
પહેલાં ગુનો- અપરાધ કરવાની પ્રેરણા આપવી અથવા તો ગુનો કરતાં રોકવો નહિ અને પછી એને એ ગુના માટે સજા કરવી-આમાં કઈ જાતનો ઇશ્વરી ન્યાય છે?
ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું” એમ માનવાથી આવાં અનેક પ્રશ્નોના ગૂંચવાડામાં ગૂંચવાઈ જવાય છે. આથી સર્વોત્તમ આ જ છે કે સૃષ્ટિને અનાદિ માની લઈએ. આખર કોઈને કોઈ તત્ત્વને અનાદિ તો માનવું પડે છે...તો પછી શા માટે વિશ્ર્વને જ અનાદિ નહીં માનવું? જેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org