SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ઈન્દ્રિયવાળા જીવો. જેમકે માંકડ, જા, લીખ, ઉધઇ, કીડી, મંકોડા, ઇયળ, કાનખજૂરા વગેરે. * ચરિન્દ્રિય જીવો : સ્પર્શ, રસના, પ્રાણ અને ચક્ષુ-આ ચાર ઇન્દ્રિયવાળા જીવો, જેમકે વીંછી, ભમરો-ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર,કંસારી, કરોળિયા વગેરે. • પંચેન્દ્રિય જીવો : સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણ [કાન]-- આ પાંચ ઇન્દ્રિવાળા જીવો. જેમકે ૧. નારકી [સાત નરકના જીવો ૨. તિર્યંચ [જલચર, સ્થળચર, ખેચર વગેરે પ્રાણીઓ ૩. દેવ [વિવિધ દેવલોકના દેવો] ૪. મનુષ્ય [માણસ તરીકે જીવતા જીવો] આ પંચેન્દ્રિય જીવો મનવાળા અને મન વગરના એમ બે પ્રકારના હોય છે. મન એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી વિચારણા કરવાની ક્ષમતા આવે છે, જેના દ્વારા શબ્દ, રૂપ આદિ વિષયોને ગ્રહણ કરવામાં આવે છે, તેને મન કહે છે. જેમને આવું મન હોય છે, તેને ‘સમનસ્ક' અથવા ‘સંશી' જીવો કહે છે. અને જેમને મન નથી તેમને ‘અમનસ્ક’ અથવા ‘અસંજ્ઞી’ કહે છે. ૮૯ નારકી, દેવતા, ગર્ભોત્પન્ન તિર્યંચ અને ગર્ભોત્પન્ન મનુષ્ય- આ બધાં સમનસ્ક સંક્ષી પંચેન્દ્રિય જીવો છે. આ સિવાયના સંમૂર્ચ્છિમ તિર્યંચ અને સંમૂર્ચ્છિમ મનુષ્ય અમનસ્ક-અસંશી પંચેન્દ્રિય જીવો છે. જન્મના પ્રકાર જન્મ કહો, ઉત્પત્તિ કહો, ભવ હો, આ ત્રણેય એકાર્થી શબ્દ છે. તેમાં ગર્ભ, ઉપપાત અને સંમૂર્છિમ એમ ત્રણ પ્રકાર છે. ૧. ગર્ભજ જીવો ઃ જરાયુજ, અંડજ અને પોતજ આ ત્રણ ગર્ભથી ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy