________________
૯o
જૈનધર્મ
જરાયુજ : જન્મ સમયે જે એક પ્રકારની ઓળ- નાળથી વીટળાયેલા હોય છે તેને જરાયુજ કહે છે. જેમકે માણસ, ગાય, બકરી વગેરે.
અંડજ : ઈંડામાંથી ઉત્પન્ન થતાં જીવો. જેમકે મરઘી, કબૂતર વગેરે પક્ષીઓ.
પોતજ : ખૂલ્લા અંગથી ઉત્પન્ન થતાં જીવો અથવા કોથળીથી ઉત્પન્ન થતાં જીવો જેમકે હાથી, ઉદર, સસલું, કાંગારૂ વગેરે.
દેવતાઓ અને નારકી જીવોનો જન્મ શયામાં કે કુંભમાં થાય છે, તેને ઉપપાત કહે છે.
જે જીવો ન ઉપપાતથી જન્મે છે, ન તો ગર્ભાશયમાંથી જન્મે છે, તેને સંમૂર્છાિમ જીવો કહે છે. આવા જીવો ઝાડો, પેશાબ, બળખા, લીંટ, ઉલ્ટી વગેરેમાં ઉત્પન્ન થાય છે.
જીવના મુખ્ય ભેદ-મુખ્ય પ્રકાર ઉપર્યુકત મુજબ છે. વિસ્તારથી જીવના પ૬૩ પ્રકાર છે. આ પ્રમાણે માણસના
૩૩ પ્રકાર દેવના
૧૯૮ પ્રકાર તિર્યંચના
૪૮ પ્રકાર નરકના
૧૪ પ્રકાર
કુલ પ૬૩ પ્રકાર પર્યાપ્તિ જન્મના પ્રારંભમાં આહાર વગેરે મુદ્દગલ દ્રવ્યોને ગ્રહણ કરીને, તેને જાદા જાદા રૂપે પરિણમન કરવાની વિશેષ પ્રકારની શકિતને પર્યાપ્તિ કહે છે. તે જ પ્રકારની છે:
૧. આહાર, ૨. શરીર, ૩. ઇન્દ્રિય, ૪. શ્વાસોશ્વાસ, ૫. ભાષા અને ૬. મન, - આ છ ને યોગ્ય પુદગલોનું ગ્રહણ, પરિણમન અને ઉત્સર્જન કરનારી પૌદ્ગલિક શકિતના નિર્માણને ક્રમશઃ આહાર પર્યાપ્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org