________________
જૈનધર્મ
૪૫
અરિહંત, સિદ્ધ આદિ નવપદની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે. લગાતાર દર વરસે નવ-નવ દિવસ (કુલ ૮૧ દિવસ) આયંબિલ કરીને તપ પૂરો કરવામાં આવે છે. આ ઓળી દરમ્યાન ઘણા લોકો એક જ દ્રવ્ય (મગ, અડદ, ચોખા, ઘઉં કે ચણામાંથી ગમે તે એક)ની વાનગી લઈને પણ નવે નવ આયંબિલ કરતા હોય છે. ઘણા લોકો જે દિવસે જે પદ હોય એ પદના ધ્યાન માટેના નિશ્ચિત રંગના દ્રવ્યથી આયંબિલ કરે છે. કેટલાક માત્ર ભાત પાણી લઈને પણ આયંબિલ કરે છે. આ તપ સાથે શ્રીપાલ-મયણાસુંદરીની કથા જોડાયેલી છે.
વરસી તપ : ફાગણ વદ ૮ થી શરૂ કરીને બીજા વરસના વૈશાખ સુદ ત્રીજ સુધી એકાંતરે ઉપવાસ કરવાના હોય છે. એકાંતરે ઉપવાસ એટલે એક દિવસ ઉપવાસ કરવાનો અને બીજે દિવસે બેસણું કરવાનું. વરસ દરમિયાન વચમાં સળંગ બે ઉપવાસ પણ કયારેય કરવાના હોય છે. સળંગ એક વરસ સુધી આ તપ ચાલુ રહેતો હોવાથી તેને વરસી તપ કહે છે. આ તપનું પારણું શેરડીના રસથી કરવામાં આવે છે. આ તપ સાથે ભગવાન ઋષભદેવ અને એમના પ્રપૌત્ર રાજકુમાર શ્રેયાંસનું કથાનક જોડાયેલું છે.
સુપ્રસિદ્ધ જૈનતીર્થ પાલીતાણામાં આ દિવસે મોટો મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં ભાવિકો અહી આવે છે. સમુહ પારણાનો કાર્યક્રમ યોજાય છે.
જ વિસસ્થાનક તપ અલગ અલગ ૨૨૦ ઉપવાસ કરીને વીસ સ્થાનો વિશિષ્ટ આરાધના કરવા માટેના નિયત પદની આરાધના કરવાની હોય છે. વચમાં એક પદની આરાધના માટે ૨૦ છઠ્ઠ (સળંગ બે ઉપવાસ પણ કરવાના હોય છે. દરેક તીર્થંકરનો જીવ આ વિશિષ્ટ તપની ઉત્કૃષ્ટ આરાધના જુદી જુદી રીતે કરે છે.
* ઉપધાન તપ : શ્રાવક જીવનની સર્વોત્તમ ઉપાસના અને સાધના એટલે ઉપધાન. આ તપ ૪૭ દિવસ, ૩૫ દિવસ અને ૨૮ દિવસ એમ ત્રણ તબક્કે પૂરો કરવામાં આવે છે. આ તમામ દિવસો દરમિયાન એક દિવસ ઉપવાસ બીજા દિવસે નીવિ (વિશિષ્ટ નિયમોવાળું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org