________________
૪૬
જૈનધર્મ
એકાસણું અથવા આયંબિલ કરવામાં આવે છે.
પૌષધ વ્રત લઈને ઉપર્યુકત તપ સાથે રોજ ૨૦ માળા ગણવાની, ૧oo ખમાસમણ [વિશિષ્ટ પ્રકારના વંદન-પ્રણામ, ૧૦૦ વખત લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ [ધ્યાન કરવાના હોય છે. આ સાથોસાથ કેટલાંક મહત્વના જૈન સૂત્રોનું અધ્યયન પણ કરવાનું હોય છે.
છે પ્રતિમા : શ્રાવક જીવનને વધુ વિશુદ્ધ ને વિશુદ્ધતર બનાવવા માટે પ્રતિમા વહન વિશિષ્ટ જીવનચર્યા કરવામાં આવે છે. આવી ૧૧ પ્રતિમાઓ છે.
પ્રતિમા એટલે મૂર્તિ કે પૂતળું નહિ. જૈન પરિભાષાના આ શબ્દનો અર્થ છે પ્રતિજ્ઞા. અથવા અભિગ્રહ. શાસ્ત્ર નિર્દિષ્ટ ૧૧ પ્રતિજ્ઞાઓમાં દર્શન [શ્રદ્ધા અને ચારિત્ર બંનેની સવિશેષ શુદ્ધિ-વિશુદ્ધિ માટે પ્રયત્ન કરવામાં આવે છે. પ્રતિમાઓની સંક્ષિપ્ત સમજ આ પ્રમાણે છે:
૧. સમ્યકત્વદર્શન-પ્રતિમા : એક મહિના સુધી સુધર્મમાં રસ, રૂચિ રાખવા, સમ્યત્વની [આત્મભાવ વિશુદ્ધિ કરવી અને સભ્યત્વના દોષોનો ત્યાગ કરવો.
૨. વ્રત-પ્રતિમા : બે મહિના સુધી શ્રાવકના બાર વ્રતનું પાલન કરવું.
૩. સામાયિક-પ્રતિમા : ત્રણ માસ સુધી સામાયિક અને દેશાવકાસિક વ્રતનું પાલન કરવું.
૪. પૌષધ-પ્રતિમા : ચાર મહિના સુધી દરેક આઠમ, ચૌદસ, પૂનમ અને અમાસે આખા દિવસનું પૌષધવ્રત લેવું.
( ૫. કાયોત્સર્ગ-પ્રતિમા : પાંચ મહિના સુધી ૧. સ્નાન કરવું નહિ, ૨. રાત્રિભોજન કરવું નહિ. ૩. ધોતિયાનો કછોટે બાંધવો નહિ, ૪. દિવસમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું, અને ૫. રાતે મૈથુનની મર્યાદા બાંધવી.
૬. બ્રહ્મચર્ય-પ્રતિમા છ મહિના સુધી મન, વચન અને કાયાથી મૈથુનનો ત્યાગ કરી શીલ પાળવું.
૭. સચિત્તાવાર વજન-પ્રતિમા : સાત મહિના સુધી સજીવ આહારનો ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org