SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈનધર્મ એકાસણું અથવા આયંબિલ કરવામાં આવે છે. પૌષધ વ્રત લઈને ઉપર્યુકત તપ સાથે રોજ ૨૦ માળા ગણવાની, ૧oo ખમાસમણ [વિશિષ્ટ પ્રકારના વંદન-પ્રણામ, ૧૦૦ વખત લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ [ધ્યાન કરવાના હોય છે. આ સાથોસાથ કેટલાંક મહત્વના જૈન સૂત્રોનું અધ્યયન પણ કરવાનું હોય છે. છે પ્રતિમા : શ્રાવક જીવનને વધુ વિશુદ્ધ ને વિશુદ્ધતર બનાવવા માટે પ્રતિમા વહન વિશિષ્ટ જીવનચર્યા કરવામાં આવે છે. આવી ૧૧ પ્રતિમાઓ છે. પ્રતિમા એટલે મૂર્તિ કે પૂતળું નહિ. જૈન પરિભાષાના આ શબ્દનો અર્થ છે પ્રતિજ્ઞા. અથવા અભિગ્રહ. શાસ્ત્ર નિર્દિષ્ટ ૧૧ પ્રતિજ્ઞાઓમાં દર્શન [શ્રદ્ધા અને ચારિત્ર બંનેની સવિશેષ શુદ્ધિ-વિશુદ્ધિ માટે પ્રયત્ન કરવામાં આવે છે. પ્રતિમાઓની સંક્ષિપ્ત સમજ આ પ્રમાણે છે: ૧. સમ્યકત્વદર્શન-પ્રતિમા : એક મહિના સુધી સુધર્મમાં રસ, રૂચિ રાખવા, સમ્યત્વની [આત્મભાવ વિશુદ્ધિ કરવી અને સભ્યત્વના દોષોનો ત્યાગ કરવો. ૨. વ્રત-પ્રતિમા : બે મહિના સુધી શ્રાવકના બાર વ્રતનું પાલન કરવું. ૩. સામાયિક-પ્રતિમા : ત્રણ માસ સુધી સામાયિક અને દેશાવકાસિક વ્રતનું પાલન કરવું. ૪. પૌષધ-પ્રતિમા : ચાર મહિના સુધી દરેક આઠમ, ચૌદસ, પૂનમ અને અમાસે આખા દિવસનું પૌષધવ્રત લેવું. ( ૫. કાયોત્સર્ગ-પ્રતિમા : પાંચ મહિના સુધી ૧. સ્નાન કરવું નહિ, ૨. રાત્રિભોજન કરવું નહિ. ૩. ધોતિયાનો કછોટે બાંધવો નહિ, ૪. દિવસમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું, અને ૫. રાતે મૈથુનની મર્યાદા બાંધવી. ૬. બ્રહ્મચર્ય-પ્રતિમા છ મહિના સુધી મન, વચન અને કાયાથી મૈથુનનો ત્યાગ કરી શીલ પાળવું. ૭. સચિત્તાવાર વજન-પ્રતિમા : સાત મહિના સુધી સજીવ આહારનો ત્યાગ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy