________________
૪૪
પછી ફરી નવકાર ગણવા. ઊભાઊભા પાણી પીવું નહી. * વિશિષ્ટ તપશ્ચર્યાઓ
અઠ્ઠમ : સળંગ ત્રણ દિવસ સુધી લગાતાર ઉપવાસ કરીને પરમાત્માનો જાપ કરવો. પરમાત્માનું ધ્યાન ધરવું. ખાસ મંત્ર-સાધના માટે અઠ્ઠમ તપનું પ્રચલન છે. વિશેષ કરીને ભગવાન શ્રી પાર્શ્વનાથના જાપ માટે આ આરાધના કરવામાં આવે છે. ચંદનબાળાનો અમ પણ પ્રચલિત છે. પર્યુષણ પર્વેના છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં આરાધકો મ તપ કરે છે. આ તપ સાથે નાગકેતુ, શ્રીકૃષ્ણ વગેરેના કથાનકો જોડાયેલા છે.
જૈનધર્મ
* અઠ્ઠાઇ : સળંગ આઠ દિવસના એકધારા ઉપવાસ કરવા. આ તપમાં જિનભકિત, જપ-ધ્યાન, સત્સંગ, વ્યાખ્યાનશ્રવણ આદિ કરવામાં આવે છે. મુખ્યત્વે પર્યુષણ પર્વના આઠ દિવસ હજારો ભાવિકો અઇની આરાધના કરે છે.
* માસક્ષમણ : પૂરા એક મહિનાના, સળંગ ત્રીસ દિવસના લગાતાર ઉપવાસ કરવા. માત્ર ઉકાળેલા પાણી ઉપર જ આખો મહિનો રહેવું. ઘણાં ભાવિકો આ કઠિન તપ આજે પણ કરે છે. કેટલાંક તો મહિનાથી ય વધુ દિવસોના ઉપવાસ કરે છે.
* વર્ધમાન તપ : ક્રમશઃ તપને વધારતા જવું. પ્રારંભમાં એક દિવસ આયંબિલ, પછી એક દિવસ ઉપવાસ, બે દિવસ આયંબિલ, એક દિવસ ઉપવાસ, આમ ક્રમસર પાંચ દિવસ આયંબિલ અને એક દિવસ ઉપવાસ- આ પ્રમાણે સતત ૨૦ દિવસની તપસ્યાથી તપનો પાયો નાંખવામાં આવે છે. ત્યારબાદ પોતાની અનુકુળતા અનુસાર ૬ આયંબિલ અને ૧ ઉપવાસ એમ વધતાં વધતાં વધતાં ૧૦૦ આયંબિલ અને ૧ ઉપવાસ કરીને આ સુદીર્ઘ તપની પૂર્ણાહુતિ થાય છે. તપ-સાધનામાં દરરોજ આગળ ને આગળ વધવાનું હોવાથી તેને ‘વર્ધમાન તપ’ કહે છે. આ તપ સાથે સાધ્વી કૃષ્ણા અને ચંદ્રર્ષિ કેવલી વગેરેના દ્રષ્ટાંતો જોડાયેલા છે.
* નવપદની ઓળી : દર વરસે ચૈત્ર માસ અને આસો માસના ૯-૯ દિવસ સળંગ આયંબિલ કરવા. સળંગ નવ દિવસની આ તપસ્યામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org