________________
જૈન ધર્મ
સામાન્ય રીતે શરીરમાં સ્વાભાવિકપણે જ્વલન કિયા થતી રહે છે. આનાથી શરીર અમુક તાપમાન સુધી ઉષ્ણ રહે છે. જૈન ધર્મની પરિભાષામાં આને તૈજસ શરીર અથવા તેજસ નામકર્મની સંજ્ઞા આપી શકાય. આ જ્વલન ક્રિયાને ચાલુ રાખવા માટે ઇઘણની આવશ્યકતા તો વરતાય છે જ. આ આવશ્યકતા પૂરી કરે છે ભોજનમાંથી મળતું કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી. પણ ઉપવાસ દરમ્યાન ભોજનની ઉર્જા મળવાની બંધ થવાથી શરીરમાં સંગ્રહિત ભોજન આવી આવીને આ અગ્નિમાં બળે છે. માટે ઉપવાસમાં ચરબી બહુ જલ્દી ઘટી જાય છે. ચરબી ૭%, જિગર ૬ર%, બરોળ પ૭%, માંસપેશિઓ ૩૧% ઘટવા માંડે છે. પણ ઉપવાસમાં દિમાગ-મગજને જરી પણ ક્ષતિ પહોંચતી નથી કે નબળાઈ પરેશાન નથી કરતી. માટે ઉપવાસ દરમ્યાન પણ ઉંઘ પૂરતી અને સારી આવે છે. વિચારો સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. શરૂ શરૂના દિવસોમાં ભીતર ભેગો થયેલો કચરો જીભ ઉપર મેલ જામવુ થુંક આવવું. મોળ આવવી. વગેરે રૂપે બહાર નીકળે છે.... પણ ધીમે ધીમે બધું ગોઠવાતું જાય છે.
તાવ, શીતળા, દમ, બ્લડપ્રેશર, બવાસીર, એકિઝમા જેવા રોગોમાં ઉપવાસ લાભદાયી છે એ વાત હવે ડૉકટરો પણ સ્વીકારે છે. અમેરિકાના ડૉ.એડવર્ડ એ પોતાના પુસ્તક “The Nonbreakfast Plan and Fasting Cure માં લખ્યું છે કે બીમારી દરમ્યાન પરાણે ખા-ખા કરવું કે દવાના ડોઝ લીધે રાખવા કરતાં ઉપવાસ કરવા બહેતર છે જેથી સ્વાથ્ય જી. સાંપડી શકે
કે પાણહાર
આ પચ્ચકખાણ ઉપવાસ, આયંબિલ, એકાસણા, બેસણા દરમ્યાન સાંજે આપવામાં આવે છે.
છે ચઉવિહાર : સૂર્યાસ્ત થયા પછી ભોજન-પાણીનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા.
તિવિહાર : સૂર્યાસ્ત થયા પછી માત્ર પાણી સિવાય કશું જ નહિ ખાવા-પીવાની પ્રતિજ્ઞા. પાણી પણ અમુક નિયત સમય સુધી જ લેવાનું. પલાંઠી વાળી બેસીને નવકાર ગણીને પાણી પીવું. પાણી પીધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org