________________
૪૨
જૈનધર્મ
કોઈપણ સમયે કંઈ ખાવાનું નહિ. ચા, દૂધ વગેરે પણ પીવાના નહિ. પાણી ઉકાળેલું પીવાનું. સૂર્યાસ્ત પછી પાણી પણ બંધ.
કે એકાસણું એક જગ્યાએ, એક આસને બેસીને માત્ર એક જ ટંક જમવાનું ઉકાળેલું પાણી પીવાનું. સૂર્યાસ્ત પછી પાણી નહિ પીવાનું
કે આયંબિલ ઘી-તેલ વગરની લુખ્ખી-સૂકી, મસાલા વગરની બાફેલી કે રાંધેલી રસોઈ એક જ જગાએ એક આસને બેસીને જમવાની. રસોઈમાં લીલાં શાકભાજી નહિ ખાવાનાં. દૂધ, ઘી, ગોળ પણ નહિ ખાવાનાં.
નોંધઃ બેસણું, એકાસણું કરતા સમયે કોઈપણ સચિત્ત વસ્તુનો કે અભક્ષ્ય ખાન-પાનનો ઉપયોગ કરતો નથી. રાતે પાણી પણ પીવાનું નહિ.
કે ઉપવાસ : આખા દિવસ દરમિયાન કશું જ ખાવાનું નહિ. નિરાહાર રહેવાનું. દિવસ દરમિયાન મોટા ભાગે સવારના ૧૦ થી ૬ ના સમય સુધી ઉકાળેલું પાણી એક જગાએ બેસીને પીવાનું પાણી પીધા વિના પણ નિરાહાર રહેવામાં આવે છે. માત્ર પાણી પીને કરાતા ઉપવાસને તિવિહાર ઉપવાસ કહે છે. અને નિર્જળા ઉપવાસને ચવિહાર ઉપવાસ કહે છે. આ ઉપવાસ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી. આરોગ્યનું એ અકસીર
ઔષધ પણ છે. આજના ચિકિત્સકો પણ તાવ, લોહીનું દબાણ, દમ વગેરે બિમારીમાં ઉપવાસ કરવાની ભલામણ કરે છે.
ઉપવાસ શા માટે જરૂરી છે?
અલબત્ત, ઉપવાસ કરવાથી, ભૂખ્યા રહેવાથી શરીરમાં કમજોરી કે નબળાઈ જરૂર વર્તાય છે. પણ એ ભોજનના અભાવની નથી હોતી. શરીરમાં ભેગો થયેલો જે કચરો બળી જાય છે. તેની છે. શરીરની શુદ્ધિ થયા પછી શરીરમાં પાછી તાજગી વર્તાવા લાગે છે. શક્તિનો અનુભવ થાય છે. આ કંઈ ચમત્કાર નથી પણ શરીરમાં રહેલા વિજાતીય દ્રવ્યોનો નાશ થતાં સહજપણે ઉદ્ભવતું સ્વાચ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org