________________
જૈનધર્મ
૪૧
તપને કાયોત્સર્ગ ધ્યાન” પણ કહે છે.
ધ્યાન એકચિત્તે અને એકાગ્રભાવે પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન બનવું.
આ બાર પ્રકારના તપ ઉપરાંત રોજબરોજની પણ નાની મોટી તપશ્ચર્યાઓનું નિરૂપણ કરાયું છે. તે આ પ્રમાણે
દરરોજની નાની-મોટી તપશ્ચર્યાઓ
જૈન ધર્મ તો ત્યાગપ્રધાન ધર્મ છે. શરીરથી પણ વધુ મનના વિકાસ માટે, આત્માના વિકાસ માટે એ વજન મૂકે છે. અલબત્ત તપ કરવાથી શરીર થોડું દુબળું પડે છે... સુકાઈ જાય છે. નબળાઈ આવે છે.. પણ મનની તાજગી વધે છે. આત્માનું સૌંદર્ય વધુને વધુ નિખરવા માંડે છે માટે તો તન-મનને તપાવીને તન-મનની બધી અશુદ્ધિઓને બાળી નાખે તેને તપ કહે છે. શરીર અને મનને નિરોગી રાખવા માટે તપ અકસીર ઇલાજ છે. જૈન ધર્મમાં નાની-મોટી અનેક તપશ્ચર્યાનું સુનિયોજન છે. દરેક વ્યકિતએ તન-મન અને આત્માના આરોગ્ય માટે, પોતાના રસ અને રૂચિ પ્રમાણે તેમજ પોતાની શકિત અને ક્ષમતા અનુસાર તપ કરવો જોઈએ.
કે નવકારશી : સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ બાદ દાતણ-પાણી કરવા. કંઈપણ ખાવું કે પીવું.
કે પોરસી : સૂર્યોદય થયા પછી ત્રણ કલાક થયા પછી ભોજન-પાણી લેવાં.
સાઢપોરસી સૂર્યોદય થયા પછી સાડા ચાર કલાક વીત્યા બાદ ભોજન-પાણી લેવાં.
પુરિમુઢઃ સૂર્યોદય બાદ છ કલાક વીતે ભોજન-પાણી લેવાં. કે અવઢઃ સૂર્યોદય બાદ નવ કલાક વીતે ભોજન-પાણી લેવાં.
કે બેસણું : બે ટંક જ જમવાનું. એક જ જગ્યાએ એક આસન પર બેસીને જમવાનું. સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ વીતે તેમજ સૂર્યાસ્ત પહેલાં કોઈપણ અનુકુળ સમયે બે ટંક જમવાનું. એ બે ટંક સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org