SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જૈનધર્મ ૬. સંલીનતા મનની વૃત્તિઓ અને કાયાની પ્રવૃત્તિઓને અશુભ ભાવમાં જતી વાળીને તેને શુભ અને શુદ્ધ ભાવમાં સ્થિર કરવી. એકાંત અને પવિત્ર સ્થાનમાં સ્થિરપણે બેસીને કે ઉભા રહીને આત્મધ્યાનમાં લયલીન બનવું. : આત્યંતર તપ મનના ભાવો સાથે તપનો મુખ્ય સંબંધ હોવાથી તેને આત્યંતર કે ભીતરનો તપ કહે છે. તેના છ પ્રકાર છે. તે આ પ્રમાણે ૧. પ્રાયશ્ચિત : જાણતાં કે અજાણતાં થઈ ગયેલા પાપો કે દોષોની જાણ સટ્ટને કરીને, તેમની પાસે તે પાપોની સજાની પ્રેમપૂર્વક માગણી કરવી અને ભવિષ્યમાં એના એ દોષોનું સેવન ન થાય તે માટે સ્વેચ્છાએ પ્રતિજ્ઞા કરવી. જરા અમથી પણ ભૂલ થઈ જાય તો એના માટે હાર્દિક “ મિચ્છામિ દુક્કડ કહી દેવું. - ૨. વિનય : પોતાનાથી જેઓ વયમાં, જ્ઞાનમાં, ગુણમાં મોટાં હોય તેવાં મોટેરાંઓનો-વડીલોનો આદર-સત્કાર કરવો, તેમનું બહુમાન કરવું. તેમની સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવો. ૩. વૈયાવચ્ચ : આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, જ્ઞાની ગુણી, સંતો-સાધુઓ, સાધર્મિકો, બિમાર અને અશકતોની સેવા-ચાકરી કરવી. ભકિત કરવી. દીન-દુઃખી-પીડિતોની સેવા કરવી. આ ગુણ તપના રૂપે ખૂબ જ મહાન છે. સ્વયં તીર્થકર પણ આ ગુણને મહત્વ આપે છે. શાસ્ત્રોમાં તીર્થકને એમ કહેતા ટાંક્યા છે કે “જો પિતા ડિવM તો માં પરિવર્ડ “એટલે કે જે ગ્લાન-બીમારની સેવા કરે છે. તે ખરેખર મારી સેવા કરે છે. કેટલી મહત્વપૂર્ણ વાત છે આ? - ૪. સ્વાધ્યાય : આત્માની શુદ્ધિમાં સહાયક અને પ્રેરક બને તેવા ગ્રંથો-પુસ્તકોનું વાંચન-મનન-ચિંતન કરવું. * વ્યુત્સર્ગ : શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને, શરીરનું હલનચલન બંધ કરીને, સ્થિર શરીર અને સ્થિર ચિત્તે યથાશકય સમય સુધી પરમાત્માના સ્વરૂપનું ધ્યાન ધરવું, તેમનાં નામનો જાપ કરવો. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy