________________
જૈનધર્મ
૩૭
૩૧. બલાબલવિચારણા : પોતાની શક્તિ અને ક્ષમતા તેમજ મર્યાદાનો વિચાર કરવો.
૩૨. લાક્યાત્રા: સમાજ, ધર્મ અને રાષ્ટ્રની ઉન્નતિમાં સહભાગી થવું.
૩૩. પરોપકાર-પરાયણતા દીન-દુઃખી જનોની સેવા કરવી.
૩૪. લજજા : વડીલો, ગુરુજનો આદિની અદબ રાખવી, મર્યાદાઓનું પાલન કરવું.
૩પ. સૌમ્યતા: હર હાલતમાં ખુશહાલ રહેવું. ધીરજ અને શાંતિ
રાખવા.
તપ અને આહારસંહિતા
જીવન જીવવા માટે આહાર આવશ્યક અને અનિવાર્ય છે. તન, મન અને આત્મા પર આહારનો નિર્ણયાત્મક પ્રભાવ પડે છે. આથી જ તો કહ્યું છે : “અન્ન તેવું મન. “આહાર તેવો ઓડકાર.” આત્મસાધનામાં આહાર સાધક અને બાધક બને છે. આથી શ્રી જિનેશ્વર ભગવંતોએ આહારની માત્રા, આહાર લેવાનો સમય, તેમજ આહારની યોગ્યતા અંગે વિશદ્ અને વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે. * કર્મનો ક્ષય કરવા માટે ઘર્મની આરાધના કરવાની છે. કર્મનો ક્ષય કરવા તપનું આયોજન કર્યું છે તેમજ નિષિદ્ધ આહારનું પણ વિધાન કર્યું
જૈન ધર્મમાં તપ મુખ્યત્વે બાર પ્રકારનો બતાવ્યો છે. તેમાં છ પ્રકારનો બાહ્ય તપ અને છ પ્રકારનો અત્યંતર તપ છે.
બાહ્ય તપ એટલે સ્પષ્ટ જોઈ શકાય તેવો તપ. આત્યંતર તપ એટલે અદીઠ તપ.
૧ બાહ્ય તપ
૧. અનશન : એક દિવસ માટે કે વધુ દિવસો માટે કે અંતિમ શ્વાસ સુધી આહાર-પાણીનો ત્યાગ કરવો તેને અનશન કે અણસણ કહે છે. તેનો સરળ અર્થ છે, ઉપવાસ. નિરાહાર રહેવું તે. સમાધિભાવે મૃત્યુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org