SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જૈનધર્મ સ્વેચ્છાએ વધાવવા માટે, જીવનના અંતિમ દિવસોમાં અનશન કરવામાં આવે છે. શૂરવીરો અનશન કરીને મૃત્યુને ભેટે છે. ૨. ઉણોદરી : બે શબ્દ છે : ઉણ અને ઉદર ઉણ એટલે સ્ટેજ ખાલી. ઉદર એટલે પેટ. જેટલી ભૂખ હોય તેનાથી થોડુંક ઓછું ખાવું, ભરપેટ ન જમતાં પેટ થોડુંક ખાલી રાખવું તેને ઉણોદરી કહે છે. સામાન્ય રીતે સ્વસ્થ શરીરના માટે દિવસભરમાં ૨૫00 કેલરીનું ભોજન પર્યાપ્ત મનાય છે. જૈનધર્મ આ બાબતમાં ૩ર કોળિયાના ભોજનનો નિર્દેશ કરે છે. ટૂંકમાં ઠાંસીઠાંસીને કયારેય ખાવું ના જોઈએ. અકસંતિયાની જેમ તૂટી ના પડવું જોઈએ. ૩. વૃત્તિ સંક્ષેપ : જીવનની જરૂરિયાતો અલ્પાતિઅલ્પ રાખવી. ભોગવવાની વૃત્તિ પર કાપ મૂકવો. એક ચીજથી ચાલતું હોય તો બીજી ચીજનો ઉપયોગ ન કરવો. વપરાશના સાધનો હોય કે ભોજનની વાનગીઓ હોય, તે દરેકનો ઉપયોગ ન કરતાં તેમાંથી ઘટાડો કરવો. વૃત્તિઓનો ક્ષય કરવામાં આ તપ વધુ સહાયક બને છે. ૪. રસત્યાગ : વૃત્તિઓ અને વિકારોને ઉત્તેજે, વિકૃત બનાવે, આવેશ અને આવેગને ભડકાવે તેવાં ખાનપાનનો ત્યાગ કરવો. ચિત્તને બેહોશ અને બધિર બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. આમ્સ અને ઊંઘ લાવે, બેચેન અને બેદિલ બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. તળેલાં, મસાલેદાર,ગળ્યાં તેમજ સ્ટાર્ચવાળા ભોજનપદાર્થો ખાવાથી ચિત્તની શાંતિ, સમતા અને પ્રસન્નતા ડહોળાય છે. આથી તેવાં આહાર-પાણીનો ત્યાગ કરવો. તન, મન અને આત્માને સરળ, સ્કૂર્ત અને સાત્ત્વિક રાખવા માટે રસાળ પદાર્થોનો ત્યાગ જરૂરી છે. જીવનભર માટે ઘી, દૂધ, તેલ, ગોળ મિઠાઇ વગેરેનો ત્યાગ કરી શકાય તો ઉત્તમ. તેમ ન થઈ શકે તો રોજ અમુક પદાર્થોનો ત્યાગ કરવો. ક્યારેક દુધનો ત્યાગ કરવો, ક્યારેક તેલનો ત્યાગ કરવો, ક્યારેક દૂધજન્ય વાનગીઓનો ત્યાગ કરવો. આમ રસત્યાગનો ઉત્તરોત્તર વધારો કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy