SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૩પ ૨. ઉચિત વિવાહ : પોતાના કુળ-જાતિ, સંસ્કાર, સ્વભાવ, તેમજ ધર્મ વગેરેને સાનુકૂળ પાત્ર સાથે લગ્ન કરવાં. ૩. શિષ્ટપ્રશંસા : સજ્જન, સંસ્કારી, સદાચારી જનોના ગુણોનું અભિવાદન કરૂં પ્રશંસા કરવી. ૪. શત્રુત્યાગ : કોઈની પણ સાથે વૈરભાવ કે દુશ્મનાવટ કે કિન્નાખોરી ન રાખવાં. ૫. ઈન્દ્રિયવિજય : ઇન્દ્રિયોની વૃતિ અને પ્રવૃત્તિઓ પર સંયમ રાખવો. ૬, અનિષ્ટ સ્થાનત્યાગ: જાન-માલ જ્યાં ભયમાં મૂકાય, ધર્મસાધના જ્યાં ડહોળાય તેવા સ્થાનનો ત્યાગ કરવો. ૭. ઉચિત ગૃહ: ધર્મ સાધનામાં સહાયક થાય તેવા પાડોશ અને વાતાવરણવાળા વિસ્તારમાં ઘર રાખવું બનાવવું. ૮. પાપભય : નાનું-મોટું કોઇપણ પ્રકારનું પાપ કરતાં ડરવું, પાપથી બચવું. ૯. દેશાચારપાલન : સમાજ અને રાષ્ટ્રના ઉચિત વ્યવહારો, પ્રથાઓ વગેરેનું પાલન કરવું. ૧૦. લોકપ્રિયતા સત્કાર્યો અને સેવાભાવથી સહુ કોઈના દિલ જીતી લેવા. ૧૧. ઉચિત વ્યયઃ આવક અનુસાર ખર્ચ કરવો, દેવું કરવું નહિ. ૧૨. ઉચિત વ્યવહાર : સમય અને સંજોગો મુજબ વર્તન-વ્યવહાર રાખવાં. ૧૩. માતા-પિતા પૂજન : મા-બાપની સેવા કરવી. ૧૪. સત્સંગ : સંતો, સાધુઓ, સદાચારી વ્યક્તિઓ અને સજ્જનોની સોબત કરવી. ૧૫. કૃતજ્ઞતા : ઉપકારીના ઉપકારને યાદ રાખવા અને સમયે તેનો સમુચિત બદલો વાળી આપવા તત્પર રહેવું. ૧૬. અજીર્ણમાં ભોજનત્યાગ : પેટ બગડેલું હોય ત્યારે ખાવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy