________________
૩૪
૬. ભીરુ : પાપથી ડરનાર. ૭. અશઠ : સાલસ અને નિખાલસ. ૮. સુદાક્ષિણ્ય : પરગજુ. ૯. લજ્જાળુ : મર્યાદાશીલ.
૧૦. દયાળુ : દયા અને અનુકંપા રાખનાર,
૧૧. મધ્યસ્થ : તટસ્થ.
૧૨. ગુણાનુરાગી : બીજાના સદ્ગુણોનો પ્રશંસક. ૧૩. સક્શક : સત્ય, પ્રિય, હિત અને પરિમિત બોલનાર. ૧૪. સુદીર્ધદષ્ટિ : ભવિષ્યનો વિચાર કરીને પગલું ભરનાર. ૧૫. સુપક્ષયુક્ત : હમેશા સત્યના પક્ષે રહેનાર.
૧૬. વિશેષજ્ઞ : વસ્તુ અને પ્રસંગને અનેક દૃષ્ટિકોણથી સમજનાર અને મૂલવનાર.
૧૭. વૃદ્ધાનુગ ઃ સંત-સાધુઓ અને જ્ઞાનીજનોએ ચીંધેલા માર્ગે
ચાલનાર.
જૈનધર્મ
૧૮. વિનીત : વિનયી અને વિનમ્ર.
૧૯. કૃતજ્ઞ : ઉપકારીના ઉપકારને યાદ રાખનાર.
૨૦. પરહિતરત : સેવાપરાયણ, બીજાઓનું હિત કરનાર.
૨૧. લબ્ધલક્ષ્ય : નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા નિષ્ઠાવાન અને પ્રયત્નશીલ.
* માર્ગાનુસારી ગુણો
માણસનું મૂલ્ય અને માન તેના ચારિત્રી છે. ચાયિહીન માણસનું સમાજમાં કોઇ સ્થાન નથી. ચારિત્ર્યવાન વ્યક્તિ મોક્ષનો પંથ ઝડપથી પાર કરી શકે છે. આથી જૈન મહર્ષિઓએ ચારિત્ર્યના નિર્માણ માટે સુસ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આ માટે તેઓએ ૩૫ ગુણો સૂચવ્યા છે. તે ગુણોના ધારણ અને વિકાસથી માણસ ચારિત્ર્યવાન બને છે. માણસને સજ્જન અને સદાચારી બનાવતા ૩૫ ગુણો આ પ્રમાણે છેઃ ૧. ન્યાયોપાર્જિત ધન : ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી આજીવિકા રળવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org