________________
જૈનધર્મ
૬. ક્રોધ : ગુસ્સો કરવો. ૭. માન : અભિમાનધિમંડ કરવો. ૮. માયા ફૂડ-કપટ કવાં, દંભ રાખવો. ૯. લોભ
: લાલચુ બનવું. ૧૦. અગ : મમતાથી મૂઢ બનવું. ૧૧. ઠેષ : ઇર્ષા કરવી, કિન્નાખોરી રાખવી, ૧૨. કલહ : ઝગડો-કચવાટ કરવાં. ૧૩. અભ્યાખ્યાન : આક્ષેપ કરવો, આળ મૂકવું. ૧૪. પશુન્ય : ચાડી-ચુગલી કરવી. ૧૫. તિ-અરતિ :નાની નાની વાતમાં રાજી થવું. નારાજ થવું. ૧૬. પરપરિવાદ : નિંદા કરવી. ૧૭. માયા મૃષાવાદ : કપટ કરીને અક્વા ફેલાવવી. ૧૮. મિથ્યાત્વશલ્ય : સાચું જાણવાન્સમજવા છતાંય તેને સાચું
માનવું નહિ. આત્મસાધકે આ બધાં પાપોથી બચવાનું છે. જેઓ આમાંથી એક કે એકથી વધુ પાપનું આચરણ કરે છે તે ખૂદ પોતાના હાથે જ દુર્ગતિની વસિયત લખે છે. વિશ્રાવકના એકવીસ ગુણ
ધર્મની આરાધના-સાધના કરવા માટે કેટલીક જરૂરી યોગ્યતા પાત્રતા જૈનધર્મે બતાવી છે. યોગ્યતા વિના ધર્મની સાધનાનું જોઈએ તેવું ફળ પ્રાપ્ત થતું નથી. જૈન ધર્મમાં ધર્મની આરાધના કરવા માટે તેઓ જ યોગ્ય અને પાત્ર છે કે જેઓના જીવનમાં ર૧ ગુણો છે. તે આ પ્રમાણે છે:
૧. ગંભીરઃ ઉદાર અને વિશાળ હૈયું. ૨. રૂપઃ સ્વસ્થ, સ્કૂર્તિલું અને નિરોગી સ્વસ્થ શરીર ૩. સૌમ્ય : શાંત અને પ્રસન્ન સ્વભાવ ૪. લોકપ્રિય સમાજમાં આદરણીય અને શ્રદ્ધેય સ્થાન ૫. અક્રૂર દયાળુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org