SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ * ક્ષમાયાચના ખામેમિ સવ્વજીવે, સવ્વ જીવા ખરંતુ મે; મિત્તી મે સવ્વભૂએસુ, વેરું મખ્ખું ન ણઇ. તમામ જીવોને હું માફ કરું છું. તમામ જીવો મને માફ કરે; તમામ જીવો સાથે મારે મૈત્રી છે, કોઇની પણ સાથે મને વૈર નથી. જાપ અને ધ્યાન દરરોજ નવકાર મંત્રનો તેમજ આત્માને વિશુદ્ધ અને વિબુદ્ધ બનાવતા વિશિષ્ઠ મંત્રોનો જાપ કરવો જોઇએ. તેમજ નિયમિત આત્મસ્વરૂપનું ધ્યાન ધરવું જોઇએ. ચિત્તની શાંતિ અને પ્રસન્નતા તેમજ સ્થિરતા માટે મંત્ર-જાપ અને આત્મધ્યાન ખૂબ જ સહાયક બને છે. જીવનમાં બાર વ્રતો, છ આવશ્યક, નિત્ય જાપ અને ધ્યાનને સમુચિત સ્થાન આપવાથી જ જૈનત્વ સાર્થક થાય છે. * અઢાર પાપસ્થાનક સ્થાનક એટલે ઘર. પાપના મુખ્ય અઢાર ઘર છે. માનવહૈયે એમાંથી એકાદ પણ પાપ પોતાનું ઘર માંડે છે, તો માણસનો આલોક-પરલોક બંને બગડે છે. આત્મસાધકે આ અઢાર પાપોનો ત્યાગ કરવાનો છે. અઢાર પાપ આ પ્રમાણે છે ઃ ૧. પ્રાણાતિપાત ૨. મૃષાવાદ ૩. અદત્તાદાન ૪. મૈથુન ૫. પરિગ્રહ Jain Education International જૈનધર્મ : હિંસા કરવી. : અસત્ય-જઠ બોલવું. : ચોરી કરવી : જાતીયજીવન ઃ વસ્તુ વ્યક્તિ અને વિચાર પ્રત્યે આસક્તિ મમતા રાખવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy