SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ૬. પ્રત્યાખ્યાન કંઈક ત્યાગ કરવાનો નિયમ લેવો તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન માટે પચ્ચકખાણ” શબ્દ વપરાય છે. પ્રતિજ્ઞા દ્વારા જીવનને સંયમિત બનાવવું. વ્યકિતની શકિત અને ક્ષમતા, રસ અને રૂચિ તેમજ પરિસ્થિતિ અનુસાર પ્રત્યાખ્યાન-પ્રતિજ્ઞા કરી શકાય છે. આને પચ્ચકખાણ કરવું પણ કહેવાય છે. જ દયા અનુકંપા. દુઃખી જીવો પ્રત્યે દયા દાખવીને તેમનાં દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરવો. જીવન-જરૂરિયાતવાળા માણસોને યથાશકય સહયોગ આપીને તેમના દુઃખો હળવાં કે દૂર કરવાં. પશુઓને ચારો નીરવો, પંખીઓને ચણ નાંખવી, પાણી પીવડાવવું. જીવદયા એ તો ઘર્મનો પાયો છે. દયાવિહોણો ધર્મ એ ધર્મ નથી. દયાવિહીન હૈયાની કઠોર ધરતી પર ધર્મનાં કોમળ ફૂલો ખીલવાં સંભવ નથી. ફક સ્વાધ્યાય દરરોજ સમયની અનુકુળતા મુજબ ધર્મગ્રન્થોનું વાંચન કરવું. ધર્મના તત્વો પર ચિંતન-મનન કરવું. પોતાના આત્માની ઓળખ થાય, આત્મા વિમળ અને વિશુદ્ધ બને, જીવન ઉર્ધ્વગામી થાય તેવાં પુસ્તકો, ગ્રન્થોનું વાંચન કરવું. અલબત્ત પુસ્તક કે ગ્રન્થોના સ્વાધ્યાયના માધ્યમથી ખરેખર તો આપણે સ્વ-અધ્યાય. આત્માને સમજવાની યાત્રા કરવાની ક પ્રાર્થના કે સવારની પ્રાર્થના દરરોજ સવારે ઊઠતાંની સાથે જ ઓછામાં ઓછા ૧ર અને વધુમાં વધુ ૧૦૮ નવકાર ગણવા જોઈએ . અને વિશ્વકલ્યાણની કામના માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy