________________
જૈનધર્મ
સહાયક જરૂરી ચીજ-વસ્તુઓ આપવી. વસ્ત્ર-પાત્ર અને આહાર-પાણી આદિ આપીને તેમની ભકિત કરવી. તેમની સેવા-સુશ્રુષા કરવી. તેમના પાસેથી ધર્મોપદેશ સાંભળવો અને આત્મસાધના માટે માર્ગદર્શન મેળવવું.
૨૮
૪. પ્રતિક્રમણ
દિવસ કે રાત દરમિયાન જાણતાં કે અજાણતાં જે કંઇ ભૂલો થઈ હોય, પાપનું સેવન થયું હોય તેની નિંદા આલોચના કરવી અને બાહ્ય વૃત્તિ અને પ્રવૃત્તિમાં પરોવાયેલા આત્માને ભીતર પરમાત્મા તરફ વાળવો ને સ્થિર કરવો. આમ પાપથી પાછા હટવાની ક્રિયાને પ્રતિક્રમણ કહે છે.
૧. સવારમાં કરાતા પ્રતિક્રમણને રાત્રિક પ્રતિક્રમણ, ૨. સાંજે કરાતા પ્રતિક્રમણને દૈવસિક પ્રતિક્રમણ, ૩. પંદર દિવસે કરાતા પ્રતિક્રમણને પાક્ષિક પ્રતિક્રમણ,
૪. ચાર મહિને કરાતા પ્રતિક્રમણને ચોમાસી પ્રતિક્રમણ, ૫. અને દર વરસે સંવત્સરીના દિવસે કરાતા પ્રતિક્રમણને સંવત્સરી પ્રતિક્રમણ કહે છે.
૫. કાયોત્સર્ગ
શરીરને સુસ્થિર કરીને એકાગ્ર ચિત્તે, મૈાનપણે આત્માનું ધ્યાન ધરવું તેને કાયોત્સર્ગ કહે છે. દેહની આસકિત અને મમત્વ છોડવા માટે, દેહભાવના દ્વંદ્વોમાંથી મુકત થઇને આત્મભાવમાં સ્થિર થવા માટે કાયોત્સર્ગ ધ્યાન ઉપયોગી અને અવશ્યકરણીય છે. દરરોજ નિયત સ્થાને અને નિયત સમયે, અમુક સમય માટે કાયોત્સર્ગ કરવો જોઇએ. આ ઉપરાંત જાતજાતની આંતર- બાહ્ય આફ્તો અને મુશ્કેલીઓ વચ્ચે મનોબળને મજબૂત બનાવવા, ટકાવી રાખવા માટે પણ કેટલાક વિશિષ્ટ કાયોત્સર્ગ બતાવવામા આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org