________________
જૈનધર્મ
૧ સામાયિક
પાપની વૃત્તિ, વિચાર અને ક્રિયાનો ત્યાગ કરીને નિષ્ઠાપૂર્વક ધર્મધ્યાન કરવાની, આત્મચિંતન કરવાની ક્રિયાને સામાયિક કહે છે.
જે ક્રિયાથી સમભાવ અને સમતાનો વિકાસ થાય તેને સામાયિક કહે છે.
શરીરથી શુદ્ધ થઈને, શુદ્ધ અને સ્વેત વસ્ત્ર પહેરીને કટાસણું ગિરમ વસ્ત્રનું આસન પાથરી, પાસે ચરવાળો [ઊનના રેસાવાળું એક પ્રકારનું સાધન અને હાથમાં મુહપત્તિ બિત્રીસ આંગળનો સમચોરસ સફેદ કાપડનો ટૂકડો] રાખીને, અડતાલીસ મિનિટ સુધી સ્વસ્થપણે બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ વગેરે કરવાં. આ પ્રકારે વિધિપૂર્વક સામયિક કરવાથી આત્માને શાંતિ અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
દિવસમાં એકવાર સામાયિક અવશ્ય કરવું જોઈએ. ૨. ચતુર્વિશતિ સ્તવન
ચોવીસ તીર્થંકરોનો નામજપ, તેમનું ગુણ-કીર્તન તેમજ તેમના સ્વરૂપનાં ધ્યાનને “વંદનક' કહે છે. અર્થાત્ જિનમંદિરે જઈને તીર્થંકર પરમાત્માની પૂજા-ભકિત કરવી.
૧. રોજ સવારે દેરાસરમાં જઈને શ્રી વીતરાગ ભગવંતનાં દર્શન કરવાં. ભકિતભર્યા હૈયે અને કંઠે તેમની સ્તુતિ કરવી. - ૨. રોજ પ્રભુ-પ્રતિમાજીની વિધિપૂર્વક પૂજા કરવી. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ, ફળ વગેથી અપ્રકારી પૂજા કરવી.
૩. દરરોજ સાંજે દેશસરમાં જઈને પરમાત્મા સમક્ષ આરતી અને મંગળદીવો કરવાં. આરતી કરવાથી અંતરનો અવસાદ-વિષાદ દૂર થઈ જાય છે. ૩. વંદનક
પૂજય સાધુ-સાધ્વી આદિ ગુરૂજનોનો વિધિપૂર્વક વિનય કરવો. તેમનું બહુમાન કરવું. ઉલ્લસિત હૈયે તેમને વંદન કરવું. આત્મસાધનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org