________________
જૈનધર્મ
જૈનધર્મમાં જે આચારમર્યાદા બતાવી છે તેમાં ચૈાદ નિયમોના પાલનનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. એ નિયમો આ પ્રમાણે છે:
૧. સચિત્ત: જીવવાળા દ્રવ્યો-પદાર્થોના વપરાશ અને ઉપયોગની મર્યાદા બાંધવી.
૨૬
૨. દ્રવ્ય: ખાદ્ય વસ્તુઓની સંખ્યા નક્કી કરવી. ૩. વિગઇઃ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલા પદાર્થ- આ છ દ્રવ્યોનું નિયમન કરવું.
૪. વાણહ: બૂટ-ચંપલ વગેરે પગરખાં પહેરવાની સંખ્યા નિયત
કરવી.
૫. તંબોલઃ પાન-સોપારી વગેરે મુખવાસની સંખ્યા નક્કી કરવી. ૬. વસ્ત્ર: પહેરવા-ઓઢવાનાં વસ્ત્રોની મર્યાદા બાંધવી. ૭. પુષ્પઃ ફૂલ-ફૂલમાળાની સંખ્યા બાંધવી.
૮. વાહન: વાહનના વપરાશની સંખ્યા નક્કી કરવીં. ૯. શયનઃ સુવાના સાધનોની સંખ્યા નિશ્ચિત કરવી. ૧૦. વિલેપન: શ્રૃંગારના સાધનોની મર્યાદા બાંધવી. ૧૧. બ્રહ્મચર્ય: જાતીય વ્યવહારનું નિયમન કરવું. ૧૨. દિશા: આવાગમનના અંતર અને દિશાનું નિયમન કરવું. ૧૩. સ્નાન: નહાવા-ધોવાનું નિયમન કરવું.
૧૪, ભોજન-પાણી: જમવાના ટૂંક તથા પાણીના વપરાશની મર્યાદા બાંધવી.
* છ આવશ્યક
આવશ્યક એટલે અચૂક કરવા યોગ્ય કર્તવ્ય કે આરાધના. આત્મશુદ્ધિ માટે અચૂક કરવા યોગ્યક્રિયાને આવશ્યક કહે છે. શ્રાવક-શ્રાવિકાએ દિવસ દરમિયાન છ આવશ્યક પણ કરવાના હોય છે. તે આ પ્રમાણેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org