SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ વગેરેથી પ્રમાર્જન ન કરવું અથવા બેદરકારીથી પ્રમાર્જન કરવું. ૩. આવવા જવાનો રસ્તો અને એ જગ્યાનું પ્રમાર્જનનિરીક્ષણ ન કરવું અથવા બેદરકારીપૂર્વક પ્રમાજન કરવું. ૪. મળ-મૂત્ર વિસર્જનની જગ્યાનું નિરીક્ષણ ન કરવું અથવા બેદરકારીપૂર્વક નિરીક્ષણ કરવું. ૫. વિધિપૂર્વક પૌષધ ન કરવો અથવા અવિધિથી પૌષધ કરવો. ત્રીજા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. * ૪. અતિથિસંવિભાગ વ્રત સાધુ-સાધ્વીઓને તેમજ સાધર્મિકોને યથાશય આહાર-પાણી તેમજ જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ પ્રમ અને આદરપૂર્વક નિરપેક્ષ અને નિઃસ્વાર્થભાવે આપવાનું વ્રત. * અતિચાર ૧. સાધુ-સાધ્વી અને સુપાત્રને આપવા યોગ્ય આહારાદિ પર સજીવ વનસ્પતિ આદિ મૂકા [જેથી તેઓ તેનો સ્વીકાર ન કરે.] ૨. આહારાદિને સચિત્ત વસ્તુથી ઢાંકી દેવા. ૩. ‘આ વસ્તુ બીજાની છે.’ એમ કહેવું. ૪. ભિક્ષાનો સમય વીતી ગયા બાદ ભિક્ષા માટે નિમંત્રણ આપવું. ૨૫ ૫. છણકો કરીને, કમને અથવા ઇર્ષ્યાથી આપવું. ત્રીજા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. નાત, જાત, પંથ, રંગ, દેશ આદિના ભેદભાવ વિના કોઇપણ સ્ત્રી કે પુરુષ આ બાર વ્રતો યાવજજીવ કે અમુક સમય મર્યાદા માટે લઇ શકે છે. ** ચૌદ નિયમો ગૃહસ્થ જીવનને સાદું, સરળ અને સંયમી બનાવવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy