________________
૨૨
ત્રીજા ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો.
આ વ્રતના અન્તર્ગત પંદર પ્રકારના કર્માદાનનો પણ શ્રાવક-શ્રાવિકાએ ત્યાગ કરવાનો છે. કર્માદાન એટલે જે કાર્યો કરવાથી કર્મ બંધાય તેવા ધંધા-રોજગાર.
૧. અંગાર કર્મ: જેમાં અગ્નિનો વધુ ઉપયોગ થતો હોય તેવા ધંધા-રોજગાર. દા.ત. ઈંટો બનાવવાનો ધંધો, સાબુ બનાવવાનું કારખાનું, દીવાસળી, ફટાકડા બનાવવાનાં કારખાનાં, રસાયણો, ક્ષાર ભસ્મ વગેરે બનાવવાના ધંધા.
જૈનધર્મ
૨. વનકર્મ: જેમાં વનસ્પિતિનું છેદન-ભેદન મુખ્ય હોય તેવા ધંધા- રોજગાર. દા.ત.જંગલો કપાવવા, ફળની છાલો-ગુંદર વેચવાનો ધંધો, ઘાસના બીડ રાખવાનો ધંધો વગેરે.
૩. શકટ કર્મ: ગાડાં, ટાંગાં, મોટરો, સ્કુટરો, મેટાડોર, બસ, સાયકલ વગેરે વાહનો બનાવવાનો, વેચવાનો કે ભાડે આપવાનો ધંધો. ૪. ભાટક કર્મ: વાહનો તેમજ જાનવરો ભાડે આપવાનો ધંધો. ૫. સ્ફેટક કર્મઃ તળાવ, કુવા, બોરિંગ, બોગદાં વગેરે ખોદી આપવાં, પથ્થરો ફોડાવવા વગેરે ખોદકામના ધંધા.
૬. દંત વાણિજ્ય: હાથી દાંતનો વેપાર. કસ્તુરીનો વેપાર, પશુ-પંખીઓનાં ચામડાં અને પીછાંનો વેપાર.
૭. લાક્ષા-વાણિજ્ય: ઘણા ત્રસ જીવોની હિંસા થાય તેવાં લાખ અને વિવિધિ ક્ષારોનો વેપાર, દા.ત. લાખ, સાબુ, સાજીખાર વગેરે બનાવવાનો ધંધો.
૮. રસ-વાણિજ્યઃ મધ, માખણ, દારૂ, ઘી, તેલ વગેરેનો ધંધો. ૯. કેશ-વાણિજ્ય: માણસ તેમજ પશુ-પંખીઓના વાળ અને રુંવાટીનો વેપાર અથવા સ્ત્રી-પુરુષને વેચવાનો [લોહીનો વેપાર] તેમજ ઢોરઢાંખર વેચવાનો વેપાર.
૧૦. વિષ-વાણિજ્ય: વિવિધ પ્રકારનાં ઝેર અને ઝેરી પદાર્થો તેમજ હિંસક શસ્ત્રો બનાવવાનો અને વેચવાનો વેપાર.
૧૧. યંત્ર-પીલણ કર્મ: વિવિધ પ્રકારના યંત્રો ચલાવવાનો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org