________________
જૈનધર્મ ભોગોપભોગ વિરમણ વ્રત
આ ગુણવ્રતમાં બે શબ્દ છે. ભોગ અને ઉપભોગ. ભોગ એટલે કે ચીજ-વસ્તુનો ઉપયોગ એક જ વખત કરી શકાય તે ભોગ. દા.ત. અનાજ, પાણી વગેરે. ઉપભોગ એટલે જે ચીજ-વસ્તુ એકથી વધુ વખત વારંવાર ઉપયોગ કરી શકાય તે દાત. અલંકાર, કપડાં વગેરે. ભોગ અને ઉપભોગ બંનેનું પ્રમાણ નક્કી કરવાનો નિયમ. * અતિચાર
૧. સજીવ વનસ્પતિનો આહાર કરવો [દારૂ અને માંસાહાર
૨. સજીવ વસ્તુને સાથે લાગેલ અજીવ પદાર્થોનો આહાર કરવો. અિભક્ષ્ય ભક્ષણ
૩. ચણીબોર, જાંબુ જેવાં તુચ્છ ફળો ખાવાં. ૪. રાંધ્યા વિનાનાં કાચાં શાકભાજી ખાવાં. ૫. કાચો-પાકો આહાર કરવો.
બીજા ગુણવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. કે અનર્થદંડ વિરમણ વ્રત
જે કાર્યો અને વ્યવહાર ન કરવાથી જીવનમાં ચાલે તેમ હોય તેવાં બિનજરૂરી ફાલતુ કાર્યો અને વ્યવહાર ત્યાગ કરવાનો નિયમ. ર અતિચાર
૧. વૃત્તિ અને વિકારોને ઉત્તેજે અને ઉશ્કેરે તેવું વાંચવું-જોવું.
૨. શરીરની વિવિધ ને વિચિત્ર ચેષ્ટાઓ દ્વારા હસવું-હસાવવું મજાક કરવી, ચાળા પાડવા.
૩. બિનજરૂરી બડબડ કરવું, ટોળટપ્પાં કરવાં, લબાડી હાંકવી. ૪. હિંસા કરવા માટે સાધનો અને શસ્ત્રો સુસજ્જ રાખવાં. ૫. ભોગોપભોગની વસ્તુઓનો જરૂરિયાતથી વધુ સંગ્રહ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org