________________
જૈન ધર્મ
ચોરવાનો નિયમ. ફક અતિચાર
૧. ચોરીનો માલ ખરીદવો. ૨. ચોરી કરવી-કરાવવી.
૩. રાજયના આયાત-નિકાસ તેમજ જકાત આદિ નિયમોનો ભંગ કરવો, દાણચોરી કરવી.
૪. ખોટાં તોલમાપ રાખવાં. ૫. ભેળસેળ કરવી. કે સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો.
પરસ્ત્રી તેમજ પરપુરુષ સાથે જાતીય સંબંધ નહિ રાખવાનો નિયમ. કામોત્તેજક વાર્તાલાપ, વાંચન, ચિત્રદર્શન આદિ નિમિત્તોનો ત્યાગ કરવાનો નિયમ. - અતિચાર
૧. કુંવારી, અપરિણીતા તેમજ વિધવા સ્ત્રી સાથે સ્ત્રીએ કુંવારા, પરિણીત તેમજ વિધુર પુરુષ સાથે) વિષયભોગ ભોગવવા.
૨. રખાત રાખવી, વેશ્યાગમન કરવું [સ્ત્રીએ પુરુષ રાખવો, પુરુષ-વેશ્યાગમન કરવું
૩. બીજાઓ સાથે કે સામે કામોત્તેજક ચેષ્ટાઓ કે હાવભાવ કરવા.
૪. પોતાના સંતાનો સિવાય અન્યના સંતાનોના વિવાહ, લગ્ન આદિ કરાવવા.
૫. મર્યાદહીન સાજ-શણગાર કરવા, કામોત્તેજક દવાઓ લેવી. ચોથા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org