SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ચોરવાનો નિયમ. ફક અતિચાર ૧. ચોરીનો માલ ખરીદવો. ૨. ચોરી કરવી-કરાવવી. ૩. રાજયના આયાત-નિકાસ તેમજ જકાત આદિ નિયમોનો ભંગ કરવો, દાણચોરી કરવી. ૪. ખોટાં તોલમાપ રાખવાં. ૫. ભેળસેળ કરવી. કે સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ત્રીજા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. પરસ્ત્રી તેમજ પરપુરુષ સાથે જાતીય સંબંધ નહિ રાખવાનો નિયમ. કામોત્તેજક વાર્તાલાપ, વાંચન, ચિત્રદર્શન આદિ નિમિત્તોનો ત્યાગ કરવાનો નિયમ. - અતિચાર ૧. કુંવારી, અપરિણીતા તેમજ વિધવા સ્ત્રી સાથે સ્ત્રીએ કુંવારા, પરિણીત તેમજ વિધુર પુરુષ સાથે) વિષયભોગ ભોગવવા. ૨. રખાત રાખવી, વેશ્યાગમન કરવું [સ્ત્રીએ પુરુષ રાખવો, પુરુષ-વેશ્યાગમન કરવું ૩. બીજાઓ સાથે કે સામે કામોત્તેજક ચેષ્ટાઓ કે હાવભાવ કરવા. ૪. પોતાના સંતાનો સિવાય અન્યના સંતાનોના વિવાહ, લગ્ન આદિ કરાવવા. ૫. મર્યાદહીન સાજ-શણગાર કરવા, કામોત્તેજક દવાઓ લેવી. ચોથા અણુવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy