________________
જૈનધર્મ
ભગવંતોએ બાર વ્રત અને તે દરેક વ્રતની અતિચારમંડિત વિલક્ષણ આચારસંહિતા ઘડી આપી છે.
આ આચારસંહિતા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતની બનેલી છે.
હિંસા, અસત્ય, ચોરી, ભોગવિલાસ અને પરિગ્રહ આ પાંચ પાપ, પાપની દ્રષ્ટિએ નિતાન્ત પાપ છે. કારણની દ્રષ્ટિએ તે બે પ્રકારના છે. ૧. કારણવશાત્ કરાતા પા૫ અને ૨. અકારણ કરાતા પાપ. જૈન સાધુ-સાધ્વી આ પાંચેય પાપ કોઈ પણ કારણે કરતા નથી, કરાવતા નથી, કરે તેને સમર્થન આપતા નથી. આથી આ પાપના ત્યાગને તેમના મહાવ્રત કહેવાય છે. જયારે ગૃહસ્થોને કારણવશાત્ જાણ્યું કે અજાણ્ય, મને કે કમને એ પાપ કરવા પડે છે. તેવા સંજોગોમાં મુકિતમાર્ગે ગતિ-પ્રગતિ કરવામાં અકારણ કરાતાં પાપોનો ત્યાગ કરવાનાં વ્રત લે છે. આથી તેમના વતને સ્થૂલ વ્રત કહ્યાં છે. તેને “અણુવત' પણ કહે છે.
શ્રાવક અને શ્રાવિકા માટેના બાર વ્રતો ત્રણ ભાગમાં વિભકત છેઃ કે અણુવ્રતઃ મૂિળભૂત નાના વ્રતો-નિયમો કે ગુણવતઃ [મૂળભૂત વ્રતોને બળ આપનાર ગુણરૂપ વ્રતો
કે શિક્ષાવતઃ [સંસારમાં સાધુજીવનની ઝાંખી કરાવતા અભ્યાસમૂલક વ્રતો
અણુવ્રત પાંચ, ગુણવ્રત ત્રણ અને શિક્ષાવ્રત ચાર છે. આ વ્રતો દ્વારા ગૃહસ્થોએ શું ન કરવું જોઈએ તેની વિશદ્ છણાવટ કરવામાં આવી
આ દરેક વ્રતના પાંચ-પાંચ અતિચાર છે. અતિચાર એટલે ભૂલ-શરતચૂક. ગૃહસ્થોએ બાર વ્રતના પાલનની સાથોસાથ દરેક વ્રતના અતિચારનો પણ ત્યાગ કરવાનો છે.
હવે પાંચ અણુવ્રત અને તેના અતિચાર બતાવાય છેઃ
Jain Education International
For Private.& Personal Use Only
www.jainelibrary.org