________________
જૈનધર્મ
પણ આપવામાં આવે છે. નોંધપાત્ર સેવાઓ અને સિદ્ધિઓના ઉપલક્ષ્યમાં આપતી પદવીઓ માટે કોઇ પૈાગિક ક્રિયા કરવાની નથી ોતી. એ બધી. પદવીઓ સંબંધિત સાધુ-સાધ્વીની શક્તિઓના અભિનંદન અને અભિવાદન માટે હોય છે.
૧૬
જૈન સાધુ-સાધ્વીની આચારસંહિતાનું પાલન કરવું એ તલવારની ધાર પર ચાલવા બરાબર છે. એ જીવન જીવવાનું દરેક માટે શક્ય નથી હોતું.એ જીવન જીવવાની શકિત અને ક્ષમતા ન આવે ત્યાં સુધી શ્રમણ ભગવાન મહાવીરે દેશવિરતિ ધર્મ [ગૃહસ્થ ધર્મ]નું યથાશકય પાલન કરવાનું ફરમાન કર્યું છે.
* દેશવિરતિ ધર્મ [ગૃહસ્થ ધર્મ]
જિનેશ્વર-ભગવંતોના જીવન અને કવન પ્રત્યે જેમને પ્રેમ અને આદર છે, જિનેશ્વરોએ ઉપદેશેલ મુકિતમાર્ગે ચાલવા માટે જેમના હૈયે રસ અને રૂચિ છે, તેમજ એ માર્ગે જીવવાનો જેઓ યથાશકય નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે, તેમને ‘શ્રાવક’ અને ‘શ્રાવિકા’ કહે છે.
સાધુ અને સાધ્વીની જેમ શ્રાવક અને શ્રાવિકા જીવનભર માટે હિંસા, અસત્ય, ચોરી, ભોગવિલાસ અને પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરવા માટે સમર્થ નથી હોતાં. ઘરસંસાર ચલાવવા માટે અને ધંધો-રોજગાર કરવા માટે આ પાંચેય મહાવ્રતોનું સર્વથા પાલન શકય જ નથી. આથી જિનેશ્વર ભગવંતોએ તેમના માટે દેશિવરત ધર્મ'નું પાલન કરવાનું સૂચવ્યું છે.
દેશવિરતિ એટલે પાપપ્રવૃત્તિઓનો મર્યાદિત ત્યાગ.
* શ્રાવકજીવનનાં બાર વ્રત
તીર્થંકર પરમાત્માએ શ્રાવકના બાર વ્રતોનું નિરૂપણ કરીને રાષ્ટ્રીય ચારિત્ર્યનો, સામાજિક સ્વાસ્થ્યનો તેમજ આત્મોત્થાનનો એક સુરેખ નકશો દોરી આપ્યો છે.
વ્યકિતનું ચારિત્ર્ય જેટલું શ્રેષ્ઠ હશે તેટલું જ સામાજીક અને રાષ્ટ્રીય ચારિત્ર્ય શ્રેષ્ઠ રહેવાનું . ચારિત્ર્યની શ્રેષ્ઠતા માટે શ્રી જિનેશ્ર્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org