________________
જૈનધર્મ
કયાંય વિહાર કરતા નથી. બાકીના આઠ મહિના તેઓ ધર્મોપદેશ આપતા ગામાનુગામ વિહાર કરે છે.
- જૈન સાધુ-સાધ્વી દીક્ષા લીધા પછી એમના શાસ્ત્રીય નિયમ પ્રમાણે જાતે કે હજામ પાસે વાળ કપાવતા નથી કે દાઢી કરાવતા નથી. વરસમાં બે વખત અથવા એક વખત અચૂક, પર્યુષણ પર્વની પૂર્વ સંધ્યાએ પોતાના માથાના અને દાઢીના વાળ પોતાના હાથથી ખેંચી કાઢે છે અથવા બીજાઓ પાસે ખેચી કઢાવે છે. આ ક્રિયાને ‘કેશલંચન' કે લોચ' કહેવાય છે. જૈન સાધ્વીઓ પણ વરસમાં એકવાર કે બે વાર પોતાના માથાના વાળનો ‘લોચ’ કરે છે અથવા કરાવે છે.
૧૨
* જૈન સાધુ-સાધ્વી સિલાઈ વિનાના શ્વેત વસ્ત્રો પહેરે છે. [કેટલાક પીળાં વસ્ત્રો પણ પહેરે છે.] ચોલપટ્ટક, પાંગરણી, કપડો, કામળી વગેરે તેમનાં પહેરવાનાં વસ્ત્રો છે. આસન, સંથારો, ઉત્તરપટ્ટો વગેરે તેમનાં પાથરવાનાં વસ્ત્રો તરીકે ઓળખાય છે.
♦ જૈન સાધુ-સાધ્વી સ્થાનમાં હોય કે સ્થાનની બહાર હોય, વિહારમાં હોય કે સ્થિરવાસમાં હોય, તેઓ હરહંમેશ પોતાની પાસે ઓઘો (રજોહરણ) અને મુહપત્તિ [ચોકકસ માપનો કપડાનો ટૂકડો] રાખે છે. સ્થાન બહાર જવાનું હોય ત્યારે ઓધો અને મુહપત્તિ ઉપરાંત એક દાંડો પણ રાખે છે. આ ત્રણેય જૈન સાધુ-સાધ્વીને ઓળખવાનાં ચિહ્નો છે.
♦ જૈન સાધુ-સાધ્વી જયાં રહે છે એ સ્થાનને ઉપાશ્રય કે પાષધશાળા કહે છે. પોતાની આચારસંહિતાનું સુપેરે પાલન થઇ શકતું હોય તેવા, ઉપાશ્રય સિવાયના અન્ય સ્થળે પણ તેઓ રહી શકે છે, રહે છે. સૂર્યાસ્ત થયા પછી અપવાદ પ્રસંગ સિવાય ઉપાશ્રયની બહાર તેઓ જતા નથી.
→ પોતાની પાસે આવનાર સહુ કોઇને નાત, જાત, પંથ, રંગ, વેષ, લિંગભેદ વિના ધર્મલાભ’ શબ્દ બોલીને આશીર્વાદ આપે છે. ‘ધર્મલાભ’ એટલે ‘તમને ધર્મની પ્રાપ્તિ થાઓ. તમે ધર્મનું આરાધન કરો’. શ્રદ્ધાળુ ભકતજનોના મસ્તકે વાસક્ષેપ (ચંદનનું અભિમંત્રિત સુગંધી ચૂર્ણ) નાંખીને નિત્થારગ પારગાહોહ’નો આશીર્વાદ આપે છે. એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org