________________
જૈનધર્મ
૧૧
કે પડી હોય ત્યાં સુધી જઈને સ્વયં નિરીક્ષણ કરીને ભિક્ષા ગ્રહણ કરે છે, જેથી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. વળી એઓ આપનારની ઈચ્છા ઉપરાંત પણ નથી લેતાં.
દરેક ઘરમાંથી શું ખાન-પાન લેવાં? કેટલાં લેવાં? કયારે લેવાં? વગેરેની તેમના માટે એક ચોકકસ પ્રકારની આચાર સંહિતા છે. ગોચરી લેવા જતા સમયે ૪ર અને ગોચરી કરતા સમયે ૫-એમ કુલ ૭ બાબતોની તેમને સાવધાની-કાળજી રાખવાની હોય છે.
આ ગોચરી તેઓ લાકડાના બનેલાં પાત્રમાં લે છે અને તેમાં જ તેઓ ભોજન-પાણી કરે છે. કાષ્ઠ-પાત્રને “પાત કહેવાય છે.
તેઓ હંમેશા જીવનભર ઉકાળેલા પાણીનો ઉપયોગ કરે છે. કાચું પાણી કદી વાપરતાં નથી. કે એનો સ્પર્શ પણ કરતાં નથી.
કે કેટલાક સાધુ-સાધ્વીઓ તો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતા હોય છે. કેટલાક તો દિવસોના દિવસો સુધી, મહિના મહિનાના પણ ઉપવાસ કે આયંબિલ આદિ તપ કરતા હોય છે. મસાલા-મિષ્ટાન્ન વિનાનું લુખ્ખ-સુકું એક ટંકનું ભોજન કરતા હોય છે. એવા એક ટૂંકી ભોજનને આયંબિલ' કહે છે. તેઓ દિવસમાં એકવાર એક જ સ્થાને બેસીને ભોજન કરે છે. આજે પણ આવા લાગલગાટ મહિનાઓ સુધી આયંબિલ કરનારા સાધુ સાધ્વીજી મોટી સંખ્યામાં છે. જ જીવનયાત્રા
જૈન સાધુ-સાધ્વી માથે છત્ર કે છત્રી નથી રાખતા. તેમનું માથું અને પગ ઉઘાડા હોય છે. બૂટ-ચંપલ કયારેય પહેરતાં નથી. કોઈપણ પ્રકાસ્નો વાહનનો ઉપયોગ કરતા નથી. એક સ્થળેથી બીજા સ્થળે તેઓ ઊઘાડા પગે જ ચાલીને જાય છે. ઉનાળો હોય કે શિયાળો, રસ્તો સરળ, હોય કે કાંટાળો પણ જીવનભર તેઓ પદયાત્રા કરતા જ પ્રવાસ કરે છે. તેમના પ્રવાસને વિહાર કહે છે.
કે ચોમાસાના ચાર મહિના ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૪ સુધી એક સ્થાને સ્થિરવાસ કરે છે. ચોમાસામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org