SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મ ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળના અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરના ગૌતમ બુદ્ધ, સોક્રેટીસ, લાઓત્સ, કયુસ આદિ દાર્શનિકો મકાલીન હતા. ભગવાન મહાવીરનો જન્મ ભારતીય તિથિ મુજબ ચૈત્ર સુદ તેરસના રોજ સોમવારે, દિનાંક ર૭મી માર્ચ ૫૯ ઈ.સ. પૂર્વે, આજના બહાર રાજયના ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ બને માતાનું નામ ત્રિશલા હતું. તેમનું સંસારી નામ વર્ધમાન હતું. 20 વરસની ઉમરે તેમણે ઘરસંસાર અને રાજપાટનો ત્યાગ કરીને કારતક ૧દ ૧૦ના સોમવારે, દિનાંક ૨૯ ડિસેમ્બર ૫૯ ઈ.સ. પૂર્વે દીક્ષા લીધી. સાડા બારની વરસની ઉગ્ર આત્માસાધનાના ફળ સ્વરૂપે તેમને વૈશાખ સુદ ૧૦ ના રવિવારે દિનાંક ૨૩ મી એપ્રિલ પપ૭ ઈ.પૂર્વે કેવળજ્ઞાનપરિપૂર્ણ જ્ઞાન ઉપલબ્ધ થયું. તે કેવળજ્ઞાની અને વીતરાગ બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્તિના બીજે દિવસે વૈશાખ સુદ ૧૧ ના રોજ સોમવારે ૨૪ મી એપ્રિલ ૧૫૭ ઈ.પૂર્વે ધર્મતીર્થના-ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આમ કરીને તેમણે સમસ્ત વિશ્વને આત્મ-સાધનાનો બહુઆયામી અને પ્રશસ્ત રાહ બતાવ્યો. એ સંઘવ્યસ્થા આજે પણ ચાલુ છે. આસો વદ અમાસના રોજ મંગળવારે દિનાંક ૧૫ મી ઓકટોબર પર૭ ઈ. પૂર્વે ભગવાન મહાવીર મહાનિર્વાણ પામ્યા. સિદ્ધ, બુદ્ધ અને સકળ કર્મબંધનોથી સર્વથા મુક્ત થયા. જ સાધનાનો રાજમાર્ગ શ્રી જિનેશ્વર ભગવંતોએ બતાવેલ સાધનામાર્ગ વ્યકિતની શકિત. અને ક્ષમતાની અપેક્ષાએ બે ભાગમાં વિભકત છે. એક છે સાધુ બનીને સંપૂર્ણપણે આત્મસાધના કરવાનો માર્ગ. બીજો છે, ગૃહસ્થ જીવનમાં રહીને યથાશકય આત્મસાધના કરવાનો માર્ગ. પ્રથમ માર્ગને સર્વવિરતિ [સાધુ ધર્મ કહે છે. બીજા માર્ગને દેશવિરતિ [ગૃહસ્થ ધર્મ કહે છે. સર્વવિરતિ એટલે તમામ પ્રકારના પાપોનો મન, વચન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004537
Book TitleJain Dharma
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1990
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, P000, & P999
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy